ગુજરાતમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી કરાઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચે લગભગ 50 જેટલાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. તપાસ દરમિયાન અનેક દસ્તાવેજો નકલી હોવાનો ખુલાસો થયો છે. 200થી વધુ શંકાસ્પદ લોકોની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી અને બનાવટી અને નકલી દસ્તાવેજો અંગે હજુ પણ તપાસ યથાવત છે. અનેક લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી કરાઈ હોવાની માહિતી અહેવાલ સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે લગભગ 50 જેટલાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી હોવાની પ્રાથમિક માહિતી છે. આ લોકો શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલે 200થી વધુ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે, બનાવટી અને નકલી દસ્તાવેજો સાથે અમદાવાદમાં વરસાટ કરતા હતા. તપાસ દરમિયાન અનેક લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ક્રાઈમ બ્રાંચના ઓફિસરને આ મામલે બાતમી મળી હતી. ખોટા દસ્તાવેજો બનાવીને આ બાંગ્લાદેશી નાગરિકો શહેરમાં વસવાટ કરી રહ્યા છે. ખોટાં દસ્તાવેજો ઉભા કરીને આધારકાર્ડ, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. દિવાળી ટાળે જ ક્રાઇમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરી છે.