સાહિત્ય અકાદમી ગૌરવ પુરસ્કાર જાહેર

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આપવામાં આવતા ગુજરાતી ભાષાનાં ગૌરવ પુરસ્કારો નિયત કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાની અધ્યક્ષતામાં 14મી ઓગસ્ટે મળેલી કાર્યવાહક સમિતિની બેઠકમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે.

નોંધનીય છે કે આ પુરસ્કારમાં વર્ષ 2023નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ડો. બળવંત જાની અને યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ 2023 માટે મિલિંદ ગઢવીને અપાશે. ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સાહિત્યકારોને અભિનંદન આઠવવામાં આવ્યા છે.

ગુજરાત સાહિત્ય અકાદમી દ્ધારા ટૂંક જ સમયમાં જાહેર સમારોહ યોજીને આ ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.