નાણાપ્રધાનનું ફૂલગુલાબી બજેટઃ ખેડૂતો પર નીતિનભાઇની નજર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે રૂપાણી સરકારનું વર્ષ 2020-21નું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. નાણાપ્રધાન નીતિન પટેલ આ પહેલાં આઠ વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે. નાણાપ્રધાન ગયા વર્ષ રૂ. 2.40 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જ્યારે આ વર્ષે બજેટનું કદ રૂ. 2,17,287 કરોડનું છે. નાણાપ્રધાને ગુજરાતનું બજેટ રજૂ કર્યું એ પહેલાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન વિધાનસભામાં કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. નાણાપ્રધાન આ વખતના બજેટમાં ખેડૂતો પર વરસી પડી છે.

નાણાપ્રધાને જણાવ્યું હતું કે છોટા ઉદેપુરના છ તાલુકામાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન થયું છે. જેમાં 2,461 ખેડૂતોને અતિવૃષ્ટિને લીધે કૃષિમાં નુકસાન થયું છે.  નાણાપ્રધાને પંચાયતો અને કોર્ટોરેશનની ચૂંટણીઓને ધ્યાનમાં રાખતાં અને જીએસટીના અમલીકરણ પછી સરકારની આવક ઘટી હોવા છતાં રૂ. 605 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતુ.રાજ્ય સરકારના બજેટમાં નીચેની બાબાતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રૂપાણી સરકારના નાણાપ્રધાન નીતિન પટેલે વર્ષ 2020-21નું બજેટ રજૂ કરતી વખતે શેરથી શરૂઆત કરી હતી. 

 

તેમણે  કહ્યું હતું કે

કામ કરતા આવ્યા છીએ કામ કરતા રહીશું

ઋણી છીએ ગુજરાતના ઋણ ચૂકવતા રહીશું

ધન્ય ધરા ગુજરાતની ચરણ ચૂમતા રહીશું

 

આમ કહી તેમણે બજેટનો પ્રારંભ કર્યો હતો. તેમણે બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે અમદાવાદમાં 30 ટકા સ્ટાફની અછત છે. બજેટના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ રજૂ કર્યા હતાઃ

  • 47 લાખ ખેડૂતોને તેમના બેન્ક ખાતામાં સહાય આપી રૂ. 3186 કરોડ જમા કરાવ્યા
  • માવઠામાં ગુજરાત સરકારે અત્યાર સુધી સૌથી મોટી સહાય આપી છે.
  • અમારી સરકાર હંમેશાં ખેડૂતોની પડખે છે અને રહેશે
  • નીતિન પટેલે ખેડૂતો માટે રૂ. 3,795 કરોડનું પેકેજ જાહેર કરાયું
  • સરકાર સર્વસમાવેશી સરકાર છે અને સૌનો સાથ અને સૌનો વિકાસ
  • આ વર્ષે રૂ. 3.44 લાખના મૂડીરોકાણના એમઓયુ થયા
  • અત્યાર સુધી સ્ટેચ્યુ યુનિટીના 40 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો
  • દરરોજ 15,000 લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં દર્શન કરે છે.
  • ખેડૂત કલ્યાણ યોજના માટે રૂ. 7,423 કરોડની જોગવાઈ
  • ખેડૂતો માટે ઝીરો ટકાના વ્યાજના ધિરાણ માટે રૂ. 1,000 કરોડની જોગવાઈ
  • પાક વીમા માટે રૂ. 1190 કરોડની સકરારી સહાય કરાશે
  • મુખ્ય પ્રધાન પાક સંગ્રહ યોજનાની જાહેરાત
  • નાના ગોડાઉન અને ફાર્મ સ્ટોરેજ ઊભા કરવા માટે સરકાર સહાય કરશે
  • એકમદીઠ રૂ. 30,000ની સહાતની જાહેરાત
  • ઓનલાઇન ફાર્મ સ્ટોરેજ માટે NAની જરૂર નહીં પડે
  • સરકારે પાક સહાય યોજના માટે રૂ. 300 કરોડની ફાળવ્યા
  • ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા રૂ. 45થી રૂ. 60,000ની મદદ
  • એક ગાયદીઠ સરકાર માસિક રૂ. 900ની સહાય કરશે
  • ગાયદીઠ દર વર્ષે સરકાર આપશે રૂ. 10,800ની સહાય
  • કિસાન પરિવાર યોજનાની સરકારની જાહેરાત
  • કુલ 29,000 ખેડૂતોને થશે લાભ
  • પ્રાકૃત્રિક ખેતી તરફ વધારવાનો પ્રયાસ
  • 5000 ખેડતોને રૂ. 30 કરોડની સહાય અપાશે
  • એક માસ માટે 150 કિલો પશુધાનની ખરીદીએ 50 ટકા મદદ
  • પાંજરાપોળોને સહાય યોજના અંતર્ગત સહાય
  • લારીમાં છૂટક શાકભાજી વેચનારને સરકાર આપશે મોટી છત્રીની સહાય કરશે
  • નાના માછીમારોને એન્જિનની સહાય યોજના હેઠળ સેફ્ટીના સાધનો ખરીદવા રૂ. બે કરોડની સહાય
  • ખેડૂતોને હળવા ભાર વાહનો માટે રૂ. 75,000ની સહાય
  • એપીએમસીને ખેતપેદાશોના રક્ષણ માટે ગોડાઉન બનાવવા સહાય
  • યુનિટદીઠ  50 ટકા સુધીની સહાય
  • જળસંપદા માટે રૂ. 7,200 કરોડની જોગવાઈ
  • સૌની યોજના માટે રૂ. 1710 કરોડની જોગવાઈ
  • કેન્દ્ર સરકારની સહાયથી ભૂગર્ભ જળ યોજના
  • ભૂગર્ભ જળ ઊંચું લાવવા માટે પ્રયાસો કરાશે
  • અટલ ભૂજલ યોજના માટે કચ્છ અને ઉ.ગુજરાતના 24 તાલુકાઓમાં આયોજન
  • બનાસકાંઠા માટે મોટા થરાદથી સીપુ ડેમ વચ્ચે મોટી પાઇપલાઇન જેથી થરાદ લાખાણી, ડીસા, દાંતીવાડાને લાભ
  • જમીનની ખારાશ અટકાવવા માટે ભાડભૂત યોજના
  • શિક્ષણ વિભાગ માટે રૂ. 31,995 કરોડની જોગવાઈ
  • રાજ્યની 500 સ્કૂલોને સ્કૂલ ઓફ એક્સેલેન્સ તરીકે વિકસાવાશે
  • શિક્ષણમાં ગુણવત્તા સુધારવા માટે વિશેષ પ્રયાસો
  • પ્રાથમિક શાળાઓમાં 7,000 નવા વર્ગ ખંડો બાંધવામાં આવશે
  • સૌની યોજનાથી 32 જળાશયો અને 48 તળાવો ભરાયાં
  • સુગર મિલોને સહાય કરવા રૂ. 25 કરોડની જોગવાઈ
  • હિંમતનગરમાં રૂ. 43 કરોડના ખર્ચે નવી વેટરનરી કોલેજ શરૂ કરાશે
  • સૌની યોજના માટે રૂ. 1710 કરોડની જોગવાઈ
  • પાણીપુરવઠા માટે રૂ. 4317 કરોડ
  • ઘાસ સંગ્રહ માટે 40 નવાં ગોડાઉનો બનાવાશે
  • 40 નવા ગોડાઉન માટે રૂ. 24 કરોડની જોગવાઈ
  • વન સંરક્ષણ અને વન સંવર્ધન માટે રૂ. 281 કરોડની જોગવાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. 11,243 કરોડ
  • સામાજિક ન્યાય અધિકારિતા માટે રૂ. 4,321 કરોડ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે માટે રૂ. 387 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળવિકાસ માટે રૂ. 3150 કરોડની જોગવાઈ
  • જમીનની માપણી માટે રૂ. 27 કરોડ ખર્ચાશે
  • ગાંધીનગરમાં નવી પોલીસ કમિશનરની કચેરી બનશે
  • કૃષિ ખેડૂત કલ્યાણ રૂ. 7,423 કરોડ
  • પાકવીમાનું પ્રીમિયમ ભરવા રૂ. 1190 કરોડની સહાય
  • ડેરી ફાર્મ અને પશુ એકમ સ્થાપવા માટે રૂ. 81 કરોડની સહાય
  • શિક્ષણમાં ગુણવત્તા સુધારવા ઓનલાઇન રિયલ મોનિટરિંગ
  • પ્રાથમિક શાળાઓમાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ બનાવાશે
  • આદિજાતિ વિકાસ માટે રૂ. 2675 કરોડની ફાળવણી
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ .7017 કરોડની ડજોગવાઈ
  • પ્રવાસન વિભાગ માટે રૂ. 480 કરોડ
  • મહેસૂલ વિભાગ માચટે રૂ. 4473 કરોડ
  • કલ્યાઇમેન્ટ ચેન્જ માટે રૂ. 1,019 કરોડ
  • સામાજિક ન્યુ અધિકારિતા માટે રૂ. 4,321 કરોડ
  • સાસ્કૃતિક વિભાગ માટે રૂ. 560 કરોડની જોગવાઈ
  • ગૃહ વિભાગ માટે રૂ. 7053 કરોડની ફાળવણી
  • કાયદા વિભાગ માટે રૂ. 1,681 કરોડ ફાળવણી
  • અન્ન અને પુરવઠા માટે રૂ. 1271 કરોડ જોગવાઈ
  • વિજ્ઞાન અને પ્રોદ્યોગિકરણ માટે રૂ. 497 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળ વિકાસ માટે રૂ. 4,150 કરોડ
  • કાયદા વિભાગ માટે રૂ. 1681 કરોડ
  • વન અને પર્યાવરણ માટે રૂ. 1781 કરોડની જોગવાઈ
  • શ્રમ અને રોજગાર માટે રૂ. 1461 કરોડની જોગવાઈ
  • અર્બન હેલ્થ સેન્ટર ઊભા કરવા માટે રૂ. 80 કરોડની જોગવાઈ
  • ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ. 9,491 કરોડ
  • શઙેરી ગૃહ નિર્માણ માટે રૂ. 13,440 કરોડની જોગવાઈ
  • પાણી પુરવઠા રૂ. 4,317 કરોડ
  • કાયદા વિભાગ માટે રૂ. 1,681 કરોડ
  • સામાન્ય વિભાગ માટે રૂ. 1766 કરોડ
  • ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે 13,917 કરોડ
  • માર્ગ અને મહકાન વ્યવહાર માટે રૂ. 10,200 કરોડની જોગવાઈ
  • મહેસૂલ વિભાગ માટે રૂ. 4,473 કરોડ
  • 3710 કરોડના ખર્ચે 25 લાખ લોકોને મેડિક્લેમ મળ્યા
  • તેમણે કહ્યું કે મુખ્ય મંત્રી અમૃતમ મા વાત્સ્લ્ય યોજના હેઠળ 77 લાખ પરિવારોની  નોધણી
  • એએસજીમાં નવી હોસ્પિટલ કાર્યરત કરાશે
  • 108ની નવી 150 એમ્બ્યુલન્સો ખરીદાશે
  • જસદણ, ધ્રોલ માણાવદર, સોનગઢની હોસ્પિટલોને અપગ્રેડ કરાશે
  • પોરબંદર રાજપીપળા અને નવસારીમાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે્
  • રાજ્યમાં 32 નવી કોલેજો બનાવાશે
  • વડોદરામાં 180 કરોડના ખર્ચે નવી મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલ બનશે
  • એમબીબીએસની સીટોમાં સરકાર વધારો કરશે
  • સૌરાષ્ટ્ર-કચ્છ પાણી માટે સરકારની મોટી યોજના
  • જળજીવ ન મિશન માટે 17 લાખ ઘરોમાં નળનું જોડાણ
  • ચાવંડ-લાઠી યોજના માટે સરકારની જાહેરાત
  • ગંદા પાણીને શુદ્ધ કરવા માટે યોજના
  • ગાંધીનગરને 24 કલાક પાણ પૂરું પાડવા પૂ. 240 કરોડની યોજના
  • કડાણા, ભિલાડ, મોડાસામાં છોકરીઓ માટે હોસ્ટેલ બનાવાશે
  • 50,000 વિદ્યાર્થિઓને વિદ્યા સાધના યોજના હેઠળ સાઇકલ અપાશે
  • ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને સ્કૂલનો ગણવેશ અપાશે
  • 80 ટકાથી વધુ દિવ્યાંગ વ્યક્તિન્ે રૂ. 600ને બદલે રૂ. 1000ની સહાય અપાશે
  • અનુસૂચિત જાતિના બાળકો માટે વિશેષ યોજના
  • સાત ફેરા સમૂહ લગ્ન યોજનામાં સહાયમા વધારો
  • અનુસૂચિત યુગલની સહાયમાં વધારો
  • યુગલદીઠ રૂ. 3000નની સહાય
  • નિરાધાર વૃ્દ્ધોને પેન્શનમાં વધારો રૂ. 750ને બદલે રૂ. 1000 અપાશે
  • સરકાર માદરે વતન યોજના શરૂ કરશે
  • સ્વદેશમાં વિકાસ કરવા માગતા એનઆરજી જેટલી રકમ સરકાર પણ આપશે

આમ નાણાપ્રધાન નીતિન પટેલે  રૂ. 605 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું હતું જોકે હજી બજેટની રજૂઆત ચાલુ છે.