ચાંદીપુરા વાયરસ અપડેટ: શંકાસ્પદ કેસનો આંકડો 118 પર પહોંચ્યો..

સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે. હાલ ગુજરાતના 16 જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. તો બીજી બાજું આજે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ ચાંદીપુરાના 17 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં ચાંદીપુરાના 118 શંકાસ્પદ કેસ છે. મળતી માહિતી અનુસાર આજે ચાંદીપુરા વાયરસથી 3 બાળદર્દીઓના મૃત્યુ થાયા છે આ સાથે આંકડો વધીનો 41 સુધી પહોંચી ગયો છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 118 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં પંચમહાલ 15 કેસ, અમદાવાદ કોર્પોરેશન 11, સાબરકાંઠા 10, મહેસાણા 07, બરોડા, ગાંધીનગર, જામનગર, અરવલ્લી અને ખેડા 6-6 કેસ નોંધવામાં આવ્ય છે. તો રાજકોટ, મોરબી અને બનાસકાંઠામાં 5-5 કેસ, રાજકોટ કોર્પોરેશન અને સુરેન્દ્રનગરમાં 04, ગાંધીનગર કોર્પોરેશન 03, જ્યારે મહીસાગર, છોટા ઉદેપુર, બરોડા કોર્પોરેશન, સુરત કોર્પોરેશન, ભરૂચ, દાહોહ અને નર્મદામાં 02-02 કેસ નોંધાયા છે. ભાવનગર, દ્રારકા, અમદાવાદ, જામનગર કોર્પોરેશન અને કચ્છમાં 1-1 નોંધાયો છે.

જેમાં સાબરકાંઠા ત્રણ, અરવલ્લી બે, મહિસાગર એક, ખેડા એક, મહેસાણા બે, સુરેન્દ્રનગર એક, અમદાવાદ કોર્પેરેશન બે, ગાંધીનગર એક, પચમહાલ એક, જામનગર એક, મોરબી એક, દાહોદ એક, વડોદરા એક, બનાસકાંઠા એક, દ્વારકા એક, તેમજ કચ્છ એક કેસ ચાંદીપુરાના છે.