શહેરમાં એક ફેક્ટરીમાં ધડાકોઃ બેનાં મોત, ચાર ઘાયલ

અમદાવાદઃ શહેરના ઓઢવ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક દુર્ઘટના બની છે. અહીં અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ગોદામમાં બોઇલરમાં બ્લાસ્ટ થયા પછી આગ લાગી હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયાં છે, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવારમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ફેક્ટરીના માલિકનું પણ ઘટનાસ્થળે મોત થયું છે.

શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. અરિહંત એસ્ટેટમાં આવેલી ફેકટરીમાં બ્લાસ્ટ થયો છે. જ્યારે બ્લાસ્ટની ઘટનાને પગલે ફાયરની ગાડીઓ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ દુર્ઘટનામાં ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. અરિહંત એસ્ટેટ ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું હતું અને તેમાં પ્લાસ્ટિક કોટિંગનું કામ કરવામાં આવતું હતું. જ્યાં બોઇલર ફાટતાં બે લોકોનાં મોત નીપજ્યાં છે.

આ વિસ્તારમાં આસપાસના લોકોનું કહેવું હતું કે બપોરના સમયે અચાનક જ આ ઘટના બની હતી. હાલ પોલીસ અને ફાયરની ટીમ દ્વારા ઘટના મુદ્દે તપાસ પણ કરવામાં આવી રહી છે કે, આખરે કેવી રીતે આ ઘટના બની હતી. પોલીસની ટીમ પણ આ દુર્ઘટના કેવી રીતે બની એની તપાસ કરી રહી છે.