રાજ્યમાં આફ્રિકી સ્વાઇન ફ્લુનો પ્રવેશઃ એકનું મોત

અમદાવાદઃ દેશમાં ફરી એક વાર ફ્લુનો કેર વધવાનું જોખમ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદની પાસે એક ગામમાં આફ્રિકી સ્વાઇન ફ્લુના કેસો સામે આવ્યા છે. નવા આફ્રિકી સ્વાઇન ફ્લુથી આશરે 100 ભૂંડોનાં મોત થયાં છે. ત્યાર બાદ આખા વિસ્તારને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે અને ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવી છે. આફ્રિકી સ્વાઇન ફ્લુને લઈને આરોગ્ય વિભાગ પણ અલર્ટ થઈ ગયો છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદની પાસે મસાવદ ગામમાં આફ્રિકન સ્વાઇન ફ્લુ ફેલાયો છે. એ સિવાય ગુજરાતના તાપી જિલ્લામાં પણ ફ્લુના કેસ મળી આવ્યા છે. આ ફ્લુના કેસ મળવાથી લોકો દહેશતમાં આવી ગયા છે. મસાવદમાં ડુક્કરોનાં મોત પછી તત્કાળ તપાસ કરાવવામાં આવી રહી છે. આ તપાસ માટે નમૂના ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા છે. અહીંના 10 કિલોમીટરના વિસ્તારને ઓફ-લિમિટ ઘોષિત કરવામાં આવ્યો છે.

બીજી બાજુ ગુજરાતના મહેસાણાના વીસનગરમાં સ્વાઇન ફ્લુથી એક વ્યક્તિનું મોત પણ થયું છે. 52 વર્ષી આધેડ વ્યક્તિ કાસા રોડની રહેવાસી હતી.

સ્વાઇન ફ્લુના 24 સંદિગ્ધ કેસ

મહેસાણા જિલ્લાના સ્વાઇન ફ્લુના 24 સંદિગ્ધ કેસો સામે આવ્યા છે, જેમાંથી ચાર લોકોનો રિપોર્ટ પોઝિટવ આવ્યા છે. એટલે આરોગ્ય વિભાગ સાવધાન થઈ ગયો છે. આ ફ્લુથી ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વયોવૃદ્ધોને વધુ જોખમ રહે છે. એ સાથે ફેફસાંની બીમારી, જાડાપણું, ડાયાબિટીસ સહિત અનેક બીમારીઓથી પીડિત લોકોએ એના સંક્રમણનું જોખમ વધુ રહે છે.