જેવા મોદી બોલ્યા કે, આજે રાતે 12 વાગ્યાથી…

અમદાવાદઃ વિશ્વભરમાં કોરોનાએ કાળો કેર વરતાવ્યો છે. ઈટાલી જેવા દેશોમાં તો સ્થિતિ ખૂબ ભયાનક અને કંટ્રોલ ન કરી શકાય તે હદે વણસી છે. યૂરોપમાં પણ સ્થિતિ ખૂબ વિકટ બની છે. ત્યારે ભારતમાં સ્થિતિ વધારે વણસે નહી તે માટે વડાપ્રધાન મોદી ગઈકાલે જે રાષ્ટ્રને સંબોધન કર્યું તેમાં 21 દીવસના લોકડાઉનની જાહેરાત કરી છે.

લોકડાઉનની જાહેરાત થતા જ લોકોએ જીવન જરુરિયાતની વસ્તુઓ લેવા માટે રીતસરની પડાપડી કરી હતી. દવાઓ, કરિયાણું, દૂધ, શાકભાજીની ખરીદી માટે લોકો નો ભારે ધસારો જોવા મળ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ)