રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ હાર્ટએટેકથી 10 લોકોનાં મોત

વડોદરાઃ  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં ગરમીના કારણે હાર્ટ એટેકથી 10 લોકોના મોત થયાં છે, એમ સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે દાવો કર્યો છે. એ સ્થિતિને જોતાં ડો.રંજન ઐયરે નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

આ સાથે જ વૃદ્ધો અને બાળકોની ખાસ તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ડો.રંજન ઐયરે બપોરે ઘરથી બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરી છે. આ સાથે જ સુતરાઉ કપડા પહેરવા માટે પણ જાહેરાત કરી છે. દર કલાકે 800 મિલી પાણી પીવાની નાગરિકોને અપીલ કરી છે.

શહેરમાં અત્યાર સુધી 500થી વધુ લોકોને હીટ વેવની અસર જોવા મળી છે. હીટ વેવને પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઊલટી, ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે. જોકે સતત 108 એમ્બ્યુલન્સને કોલ મળી રહ્યા છે.

વિશ્વમાં હાઇપરટેન્શનના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. હાઇપરટેન્શન એટલે કે હાઇ BP સાયલન્ટ કિલરની જેમ છે. હાઇ બ્લડ પ્રેશરને કારણે પ્રતિ વર્ષે લાખો લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોકથી જીવ ગુમાવે છે. એટલે 17 મેએ લોકોને હાઇ BP વિશે જાગ્રત કરવામાં આવે છે. WHOના ડેટા કહે છે કે વિશ્વમાં હાઇબ્લડ પ્રેશરથી આશરે એક અબજથી વધુ લોકો પીડિત છે. હાઇ BPથી હાર્ટની બીમારી, સ્ટ્રોક અને કિડનીની બીમારીઓનું જોખમ વધી જાય છે.કેટલીય ખરાબ આદતો તમને હાઇપરટેન્શનના દર્દી બનાવી શકે છે.

રાજ્યનાં 10 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.