ગુજરાત કોંગ્રેસ દ્વારા તેના નવનિયુક્ત શહેર અને જિલ્લા પ્રમુખો માટે જુનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં એક વિશેષ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શિબિરના ત્રીજા દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસ હાઇકમાન્ડે કડક શબ્દોમાં કહ્યું હતું કે ‘જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે’.
નેતા પ્રતીપક્ષ શ્રી @RahulGandhi જી નું કેશોદ એરપોર્ટ ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોએ આત્મીય સ્વાગત કર્યું.
📍 ગુજરાત pic.twitter.com/LhHbg8ror9
— Gujarat Congress (@INCGujarat) September 12, 2025
પર્ફોમન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટીમેટમ
આજે (12 સપ્ટેમ્બર) કોંગ્રેસના કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે. સી. વેણુગોપાલે શિબિરમાં હાજર પ્રમુખોને સંબોધિત કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે પ્રમુખો કામ નહીં કરે, તેમના પદ છીનવી લેવામાં આવશે. તેમણે પર્ફોમન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. 41 શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી 9 પ્રમુખોના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને નેતાઓને સડેલી કેરી સાથે સરખાવ્યા હતા, જે આખી ટોપલીને ખરાબ કરી શકે છે.
જુનાગઢમાં ‘સંગઠન સૃજન’ હેઠળ જિલ્લા પ્રમુખોના તાલીમ શિબિરને વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ સંબોધન કર્યું.
આ દરમિયાન, રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખો સાથે વાતચીત કરી અને સંગઠન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી.
📍 જૂનાગઢ pic.twitter.com/sB398G2Bvx— Gujarat Congress (@INCGujarat) September 12, 2025
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની ગેરહાજરી
આ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની ગેરહાજરી જોવા મળી હતી. સતત બીજી શિબિરમાં તેમની ગેરહાજરીને કારણે હાઇકમાન્ડમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે. સી. વેણુગોપાલે પણ આ અંગે ટિપ્પણી કરતાં કહ્યું કે જે લોકો કામ કરશે તેમને પ્રોત્સાહન મળશે, અને જે લોકો કામ નહીં કરે તેમની પાસેથી હોદ્દો પાછો ખેંચી લેવામાં આવશે.
