પૂર્વ સાંસદ ધનંજય સિંહને અપહરણ-ખંડણી કેસમાં 7 વર્ષની સજા

લોકસભા ચૂંટણી પહેલા જૌનપુરના પૂર્વ સાંસદ ધનંજય સિંહને મોટો આંચકો લાગ્યો છે. એન્જિનિયરના અપહરણ અને ખંડણીના કેસમાં સાંસદ-ધારાસભ્ય કોર્ટે ધનંજય સિંહને સાત વર્ષની જેલની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગત મંગળવારે જ કોર્ટે આ કેસમાં ધનંજય સિંહ અને તેના ભાગીદાર સંતોષ વિક્રમ સિંહને દોષિત જાહેર કર્યા હતા. પોલીસે બંનેની કોર્ટમાંથી જ ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. હવે ધનંજય સિંહને સાત વર્ષની જેલની સજા થઈ હોવાથી તેમની લોકસભાની ચૂંટણી લડવાની શક્યતાઓ પર પણ રોક લગાવી દેવામાં આવી છે.

સાંસદ-ધારાસભ્ય કોર્ટે અપહરણ-ખંડણીના કેસમાં દોષિત પૂર્વાંચલના જોનપુરના પૂર્વ સાંસદ ધનંજય સિંહને સજા સંભળાવી છે. નમામી ગંગે પ્રોજેક્ટ મેનેજર અભિનવ સિંઘલે ધનંજય અને તેના સહયોગી સંતોષ વિક્રમ સિંહ વિરુદ્ધ અપહરણ, ખંડણી અને હલકી ગુણવત્તાની સામગ્રી ન આપવા બદલ ધમકી આપવાનો કેસ દાખલ કર્યો હતો. 5 માર્ચના રોજ કોર્ટે બંનેને દોષિત જાહેર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દીધા હતા. એડિશનલ સેશન્સ જજ IV શરદ ચંદ્ર ત્રિપાઠીએ સાંજે 4:10 વાગ્યે ધનંજય સિંહ અને તેના સહયોગી સંતોષ વિક્રમ સિંહને 7 વર્ષની જેલ અને 50,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. હાલમાં સજા બાદ ધનંજય સિંહની ચૂંટણી લડવાની શક્યતાઓ પર ગ્રહણ લાગી ગયું છે.