દેવાયત ખવડને ઝટકો, અમદાવાદ કોર્ટે જામીન રદ્દ કર્યા

લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. સાસણગીરમાં અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર કરવામાં આવેલા હુમલાના કેસમાં અગાઉ દેવાયત ખવડને મળેલા જામીન રદ કરવામાં આવ્યા છે અને આગામી 30 દિવસમાં પોલીસ મથકમાં સરેન્ડર કરવા આદેશ આપવામાં આવ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા દેવાખત ખવડના જામીન રદ કરવામાં આવ્યા છે. આગામી 30 દિવસમાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં તેને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણ દ્વારા જામીન રદ કરવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, દેવાયત ખવડ જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવી અને ધમકાવી રહ્યો છે. આથી તેના જામીન રદ કરવામાં આવે.