પરિણીતિ ચોપડા, રાઘવ ચઢ્ઢાનાં વેડિંગ રિસેપ્શન ત્રણ શહેરોમાં

ઉદયપુરઃ બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને યુગલની પહેલો મેરિડ ફોટો પણ બહાર આવી ચૂક્યો છે. કપલના રિસેપ્શનના ફોટો પણ વાઇરલ થઈ રહ્યો છે. પરિણીતિએ રિસેપ્શન માટે મિનીમલિસ્ટિક ગુલાબી સાડી લુક પસંદ કરી છે અને વાળને ખુલ્લા રાખ્યા છે.

રાઘવે કાળા રંગનો બો-ટાઇ શૂટ કેરી કર્યો હતો અને તે ઘણો આકર્ષક દેખાઈ રહ્યો છે. આ કપલે નજીકના મિત્રૌ માટે ઉદયપુરની હોટેલ ધ લીલા પેલેસમાં એક રિસેપ્શન રાખ્યું હતું. હવે બંનેના વેડિંગ રિસેપ્શનને લઈને માહિતી આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાનાં વેડિંગ રિસેપ્શન ત્રણ શહેરોમાં હોસ્ટ કરવામાં આવશે. તેમનું પહેલું રિસેપ્શન 30 સપ્ટેમ્બરે ચંડીગઢમાં થશે, જેમાં બંનેનાં સગાવહાલાં અને ખાસ મહેમાનો સામેલ થશે. આ માહિતી કપલના લગ્નના કાર્ડ પછી સામે આવી છે. એક રિસેપ્શન દિલ્હીમાં થશે. દિલ્હીના રિસેપ્શન કેટલાય રાજકારણીઓ સામેલ થશે. બીજું રિસેપ્શન મુંબઈમાં થશે, જેમાં બોલીવૂડ સેલેબ્સ સામેલ થવાની અપેક્ષા છે. જોકે આ બંને જગ્યાઓનાં રિસેપ્શનની તારીખ જાણવા નથી મળી.પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાનાં લગ્ન ધામધૂમથી થયાં હતાં. દિલ્હી સ્થિત રાઘવના ઘરેથી જશ્ન શરૂ થયો હતો. ત્યાર બાદ કપલ પ્રસંગ ઊજવવા ઉદયપુર પહોંચ્યો હતો. રવિવારે સાંજે ચારથી છ કલાકની જાન, વરમાળા, મંગળ ફેરા અને વિદાયની રીતરસમ થઈ હતી. કપલ મંગળવારે ઉદયપુરથી પરત ફરશે.