પ્રિયંકા ન્યુયોર્કમાં છે ત્યાંથી ય પીએમ ફંડમાં દાન કરે છે

નવી દિલ્હી: કોરોના વાઈરસ સામે લડવા માટે અનેક જાણીતી હસ્તીઓ દાન કરી રહી છે. બોલીવુડથી લઈને હોલીવુડ સુધી ધૂમ મચાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા ભલે ન્યૂયોર્કમાં રહે છે પરંતુ તેનું દિલ તો હમેશાં ભારત માટે જ ધડકે છે. આ જ કારણ છે કે, દેશથી હજારો કિમી દૂર વિદેશમાં હોવા છતાં કોરોના વાઈરસના સંકટમાં ભારતની મદદે આગળ આવી છે. પ્રિયંકા ચોપડા અને તેમના પતિ નિકે જોનાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર પીએમ રિલીફ ફંડમાં દાન કર્યું છે.

પ્રિયંકાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ અંગે માહિતી આપી છે. પ્રિયંકાએ લખ્યું- દુનિયામાં અનેક લોકોને આપણાં સહકારની જરૂર છે. જેથી હું અને નિક એવી સંસ્થાઓને દાન કરવા માંગતા હતા જેઓ ગરીબો, બેઘર પરિવારો, ડોક્ટરોની મદદ કરી રહી છે. જે બાળકોનું પેટ ભરી રહી છે અને મ્યુઝિક અને એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીની મદદ કરી રહી છે. આ બધાંને આપણાં સપોર્ટની જરૂર છે અને તમને બધાંને દાન કરવાની અપીલ કરીએ છી. કોઈપણ રકમ નાની હોતી નથી પછી ભલે તે એક ડોલર જ કેમ ન હોય. આપણે એકજૂટ થઈને બદલાવ લાવી શકીએ છીએ.

મહત્વનું છે કે, પીએમ કેર ફંડમાં દાન કરવાની સાથે સાથે પ્રિયંકા યૂનિસેફ, ગૂંજ, ડાક્ટર્સ વિધાઉટ બોર્ડર, પીએમ રાહત ફંડ જેવી સંસ્થાઓમાં મદદ માટે દાન કર્યું છે. પ્રિયંકા ચોપડા સતત સોશિયલ મીડિયા પર કોરોનાવાઈરસ સંબંધિત માહિતી શેર કરી રહી છે.