કોરોના સામે લડવામાં માધુરી પણ મેદાને

મુંબઈ: હવે કોરોના વાયરસ સામેની લડાઈમાં બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત પણ આગળ આવી છે. માધુરીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ચાહકોને એવી અપીલ કરી છે કે, કોરોના વાયરસ સામે લડવા માટે ફંડ્સ ડોનેટ કરો. હાલ દેશમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે જેને લઈને 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે લખ્યું હતું કે, આપણે તમામ લોકોએ માનવતા માટે હાથ મિલાવવો જોઈએ કે જેથી આ લડાઈ સામે જીતી શકાય. હું પીએમ રાહત ફંડમાં અને સીએમ રિલીફ ફંડમાં ડોનેટ કરી રહી છું. મજબૂત થઈને આગળ આવો.

અહીં ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કરીના કપૂર, સૈફ અલી ખાન, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, સારા અલી ખાન, કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા, નિક જોનસ, અક્ષય કુમાર, કાર્તિક આર્યન, વિકી કૌશલ, વરુણ ધવન અને અન્ય કેટલાંક સેલેબ્સ કોરોના વાયરસ સામેની લડાઈ માટે દાન કરી ચૂક્યા છે.