તો કંગનાએ ફિલ્મ ઈન્ડ્રસ્ટી છોડી દેવી જોઈએ: કરણ જોહર

મુંબઈ: બોલીવૂડમાં બિનધાસ્ત અભિનેત્રી તરીકેની છાપ ધરાવનાર કંગના રણૌત કોઈપણ મુદ્દે પોતાની રજૂઆત નિડરતાપૂર્વક કરવા માટે જાણીતી છે. સુશાંત સિંહ રાજપૂતના અચાનક નિપજેલા મોત બાદ કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં બોલીવૂડમાં પ્રવર્તતા નેપોટિઝમની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને સાથે હિન્દી ફિલ્મ જગતના કેટલાક દિગ્ગજોના નામ લઈને એમની સામે અવાજ ઉઠાવ્યો હતો.

યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરાથી લઈ ધર્મા પ્રોડક્શન્સના કરણ જોહર જેવા ટોચના નિર્માતાઓને ટાર્ગેટ કરીને કંગનાએ મસમોટા ઘટસ્ફોટ કર્યા છે. તો બીજી તરફ કરણ જોહરનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તે કંગના પર નિશાન સાધતા કહે છે કે, કંગના વૂમન કાર્ડ અને વિક્ટિમ કાર્ડનો ઉપયોગ કરતી આવી છે. જો કંગનાને ઈન્ડસ્ટ્રીથી એટલો બધો પ્રોબ્લેમ હોય તો તે ઈન્ડસ્ટ્રી છોડીને જઈ શકે છે. કોણ તેને ગન પોઈન્ટ પર ડરાવી ધમકાવીને અહીં રહેવા માટે કહે છે. જોકે આ વિડિયો વાયરલ થયા પછી અનેક લોકો કરણ જોહરની જ ટીકા કરી રહ્યા છે.

મહત્વનું છે કે, અગાઉ કંગનાએ આપલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સુશાંતને કરણ જોહરે ફ્લોપ એક્ટર ગણાવ્યો હતો.

કંગનાએ તો એવો દાવો પણ કર્યો છે કે સુશાંતનું મૃત્યુ આત્મહત્યા નહીં, પરંતુ સુનિયોજિત હત્યા છે.

સોશિયલ મીડિયા પર લોકો સુશાંતની કથિત આત્મહત્યાથી દુ:ખી છે અને સીબીઆઈ દ્વારા તપાસની માંગ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી સહિત અનેક લોકો કંગના સાથે સહમત થયા છે અને મદદ કરવા માટે તૈયાર પણ છે.