પાકિસ્તાનના PM શાહબાઝ શરીફના ઘર પાસે ડ્રોન હુમલો

પહલગામમાં આતંકી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોનાં મોત બાદ ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાન-POK માં આવેલા 9 જેટલા આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. ત્યાર બાદથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે અને હવે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલા થઈ રહ્યા છે જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા છે. દરમિયાન, પાકિસ્તાનનાં પીએમ શાહબાઝ શરીફનું પૈતૃક નિવાસસ્થાન પણ આ ડ્રોન હુમલાથી અસ્પૃશ્ય ન રહ્યું.

ભારતીય વાયુસેનાનાં ડ્રોન સિયાલકોટથી લાહોર અને ઇસ્લામાબાદમાં પ્રવેશ્યા. પાકિસ્તાનનાં પીએમ શાહબાઝ શરીફનું પૈતૃક નિવાસસ્થાન પણ આનાથી અસ્પૃશ્ય ન રહ્યું. લાહોરમાં તેમના ઘર પાસે ડ્રોન હુમલો થયો હતો. આ હુમલા બાદ પાકિસ્તાની સેના ગભરાટમાં છે. તે પોતાના પીએમના ઘરને બચાવી શકતી નથી. જોકે, જ્યારે આ ઘટના બની ત્યારે શાહબાઝ લાહોરમાં નહીં પણ રાજધાની ઇસ્લામાબાદમાં હતા.