મુંબઈ: પ્રખ્યાત હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક પંડિત પ્રભાકર કારેકરનું મુંબઈમાં નિધન થયું છે. પ્રભાકર કારેકરે ટૂંકી બીમારી બાદ 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ગોવામાં જન્મેલા પ્રભાકર કારેકરના પરિવારના જણાવ્યા અનુસાર, તેમણે બુધવારે રાત્રે શિવાજી પાર્ક વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ દેહને આજે દાદર સ્થિત તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે જેથી લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે.
કારેકર “બોલવા વિઠ્ઠલ પહાવ વિઠ્ઠલ” અને “વક્રતુંડ મહાકાય” જેવા ગીતો ગાવા માટે જાણીતા હતા. એક ઉત્કૃષ્ટ ગાયક અને શિક્ષક તરીકે આદરણીય કારેકરે ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) અને દૂરદર્શન પર એક ફીચર્ડ કલાકાર તરીકે રજૂઆત કરી. તેમણે પંડિત સુરેશ હલદંકર, પંડિત જીતેન્દ્ર અભિષેકી અને પંડિત સીઆર વ્યાસ જેવા દિગ્ગજો પાસેથી તાલીમ મેળવી હતી.
ગોવાના મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પંડિત પ્રભાકર કારેકરને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે X એકાઉન્ટ (અગાઉ ટ્વિટર) પરથી એક પોસ્ટ શેર કરી છે. પોતાની પોસ્ટમાં સીએમ સાવંતે લખ્યું, “હિન્દુસ્તાની શાસ્ત્રીય અને અર્ધ-શાસ્ત્રીય ગાયક પંડિત પ્રભાકર કારેકરના નિધન વિશે જાણીને દુઃખ થયું. ગોવાના અંત્રુઝ મહેલમાં જન્મેલા પંડિત જિતેન્દ્ર અભિષેકીના માર્ગદર્શન હેઠળ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત શીખ્યા. વિશ્વભરના વિવિધ પ્લેટફોર્મ પર પ્રદર્શન કર્યું. તેમણે ગોવામાં શાસ્ત્રીય સંગીતના સંરક્ષણ અને વિસ્તરણમાં ખૂબ જ યોગદાન આપ્યું.”
Saddened to learn about the demise of Hindustani Classical & Semi Classical vocalist Pandit Prabhakar Karekar.
Born in Antruz Mahal Goa, learnt the Hindustani Classical Music under the tutelage of Pandit Jitendra Abhisheki. Performed at various platforms all over the globe. He… pic.twitter.com/28olOtmuCx
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) February 13, 2025
સીએમ સાવંતે આગળ લખ્યું કે કારેકરનો સંગીત વારસો તેમના શિષ્યો અને ચાહકો સાથે ચાલુ રહેશે. પોતાના ટ્વીટમાં તેમણે આગળ લખ્યું,’પરિવાર, અનુયાયીઓ, શુભેચ્છકો અને વિદ્યાર્થીઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.’
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)