કોરોના હાઉથી સેન્સેક્સ વધુ 2,713 પોઇન્ટ ઘટ્યો

અમદાવાદઃ ભારતીય શેરબજારો સપ્તાહના પ્રારંભે ભારે ઘટાડા સાથે ખૂલ્યાં હતાં. બજાર પર કોરોના વાઇરસનો ડર ભારે હાવી છે. મુંબઈ શેરબજારના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીના પણ તમામ ઇન્ડેક્સમાં પણ નરમાઈ પ્રવર્તતી હતી. આમ શેરોમાં સાર્વત્રિક વેચવાલી ચાલુ રહી હતી.

સ્થાનિક બજારોમાં મેટલ ઇન્ડેક્સ આશરે આઠ ટકા, જ્યારે નિફ્ટી બેન્ક સાત ટકા તૂટ્યો હતો. આ સાથે પીએસયુ બેન્ક ઇન્ડેક્સ છ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ આઠ ટકા તૂટ્યા હતા. ઓટો અને એફએમસીજી અને આઇટી ઇન્ડેક્સમાં 5.5 અને 6.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રોકાણકારે આજે રૂ. 6.25 લાખ કરોડનું નુકસાન કર્યું હતું. આ સિવાય માર્ચની શરૂઆતથી અત્યાર સુધીના 16 સેશનમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ રોકાણકારોના રૂ. 16 લાખ કરોડ ધોવાયા હતા.

ફેડે વ્યાજદર પણ ઘટાડ્યો અને રાહત પેકેજનું એલાન કર્યું

કોરોના વાઇરસ રોગચાળા માટે ફેડરલ રિઝર્વે પણ વ્યાજદરો એક ટકા ઘટાડીને લગભગ ઝીરો કરી કરી દીધા હતા. આ ઉપરાંત ફેડે 700 અબજ ડોલરના રાહત પેકેજની પણ જાહેરાત કરી હતી. બીજી બાજુ જાપાન, યુરોપ સ્વિટઝર્લેન્ડ અને સાઉથ કોરિયાની મધ્યસ્થ બેન્કોએ મોટાં પગલાં લીધાં હતાં.ચીનમાં પણ દરોમાં કાપ આજથી લાગુ થશે.

એસબીઆઇ કાર્ડનો ઇસ્યુ ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ

એસબીઆઇ કાર્ડ્સનો ઇસ્યુ પણ લિસ્ટિંગ પણ 13 ટકા નીચે ડિસ્કાઉન્ટમાં થયું હતું. એસબીઆઇ કાર્ડના શેરોનું બીએસઈ પર રૂ. 658 અને એનએસઈ પર રૂ. 661ના ભાવે લિસ્ટિંગ થયું હતું. જોકે બજાર બંધ થવાના સમયે શેર રૂ. 25 વધીને રૂ. 683.20ના મથાળે બંધ રહ્યો હતો. જોકે ઇસ્યુ કિંમતથી આ શેર રૂ. 71.80ના ભાવે બંધ થયો હતો.