આ બજેટ દેશને નવી તાકાત આપનારું : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય બજેટને મધ્યમ વર્ગને બળ આપનારું બજેટ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ બજેટ સમાજના દરેક વર્ગને બળ આપનાર છે. તે દેશના ગામડાઓ, ગરીબો અને ખેડૂતોને સમૃદ્ધિના માર્ગ પર લઈ જશે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ એક એવું બજેટ છે જે યુવાનોને અગણિત નવી તકો પૂરી પાડશે. આ બજેટથી શિક્ષણ અને કૌશલ્ય નવી ઊંચાઈએ પહોંચશે.

પીએમ મોદીએ કહ્યું કે આ એક એવું બજેટ છે જે મધ્યમ વર્ગને નવી તાકાત આપશે. દલિતો, આદિવાસીઓ અને પછાત લોકોને મજબૂત કરવા માટેનું આ બજેટ છે. આ બજેટ નાના વેપારીઓ અને MSME ને પ્રગતિનો નવો માર્ગ પ્રદાન કરશે. આ બજેટ મહિલાઓની આર્થિક ભાગીદારીને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. આ બજેટમાં નાના વેપારીઓ અને નાના ઉદ્યોગોની પ્રગતિનો નવો માર્ગ મળશે.

આર્થિક વિકાસને નવી ગતિ મળશે

પીએમએ કહ્યું કે બજેટમાં મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. તેનાથી આર્થિક વિકાસને નવી ગતિ મળશે. દેશમાંથી ગરીબી દૂર કરવા માટે બજેટમાં ખાસ કાળજી રાખવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગને ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. ટીડીએસ નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. પૂર્વ ભારતના વિકાસમાં ઉમેરો થયો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે રોજગાર અને સ્વ-રોજગાર માટેની તકોનું અભૂતપૂર્વ વિસ્તરણ એ અમારી સરકારની ઓળખ છે. આજનું બજેટ તેને વધુ મજબૂત કરે છે. આ બજેટમાં સરકારે રોજગાર સંબંધિત પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી છે, જે દેશમાં કરોડો નવી નોકરીઓનું સર્જન કરશે. આ સાથે, અમારી સરકાર તેમના જીવનની પ્રથમ નોકરી મેળવનાર યુવાનોને પ્રથમ પગાર આપશે.

પીએમ મોદીએ કહ્યું કે સ્કીલ ડેવલપમેન્ટ અને ઉચ્ચ શિક્ષણ માટે મદદ હોય કે 1 કરોડ યુવાનો માટે ઈન્ટર્નશીપ સ્કીમ દ્વારા ગ્રામીણ અને ગરીબ યુવાનો દેશની ટોચની કંપનીઓમાં કામ કરશે. આપણે દરેક શહેર, દરેક ગામ, દરેક ઘરમાં ઉદ્યોગસાહસિક બનાવવાના છે, આ હેતુ માટે મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. PMએ કહ્યું કે અમે સાથે મળીને ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશું.