બંધારણને કચરામાં નહીં ફેંકવા દઈએઃ સુધાંશુ ત્રિવેદી

નવી દિલ્હીઃ RJDના નેતા તેજસ્વી યાદવે વક્ફ સુધારા અધિનિયમ અંગે આપેલ તાજા નિવેદનનો ઉલ્લેખ કરતાં ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ઇન્ડિયા ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે SP અને RJD જેવી પાર્ટીઓ જે સમાજવાદની ‘ચાદર’ ઓઢી છે, તે  મુસ્લિમોના અધિકાર માટે લડી રહી નથી. તેમણે કહ્યું હતું કે આ પાર્ટીઓના સમાજવાદને જો ‘નમાજવાદ’ કહેવામાં આવે તો એમાં કોઈ અતિશયોક્તિ નથી.

તેમણે જણાવ્યું હતું  કે સમાજવાદનો ઢોંગ કરતી આ પાર્ટીઓ જેવી કે RJD, SP વગેરે ગરીબ અને દબાયેલા મુસ્લિમ જનતાના હકો માટે ઊભી નથી રહી. એટલે RJD અને SPનો સમાજવાદ ખરેખર સમાજવાદ નથી. જો તેને નમાજવાદ કહીએ તો ખોટું નહીં હોય. ભાજપ અને NDA ગઠબંધને નક્કી કર્યું છે કે જો કોઈ વ્યક્તિ બાબાસાહેબ આંબેડકરના બંધારણ કે તેના કોઈ પણ જોગવાઈને કચરામાં ફેંકવા માગશે તો અમે એવું થવા દઈશું નહીં.

તેમણે કહ્યું હતું કે આ ખૂબ “દુઃખદ” છે કે એ સ્થળ પર, જ્યાં લાખો લોકોએ “બંધારણ” બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વિના એકઠા થયા હતા, એ જ સ્થળે રેલી યોજાઈ હતી, જેમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે તેઓ “સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાને કચરામાં ફેંકી દેશે.

તેમણે જણાવ્યું હતું  કે હાલમાં દેશના લોકશાહી ઇતિહાસના સૌથી ભયાનક અધ્યાય એટલે કે ઇમર્જન્સી કાળનાં 50 વર્ષ પૂરાં થયાં છે. પણ એ ખૂબ દુઃખદ છે કે ગઈ કાલે પટનાના એ જ ગાંધી મેદાનમાં જ તેજસ્વી યાદવે કહ્યું હતું કે અમે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાને કચરામાં ફેંકી દઈશું.