બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન તેની ફિલ્મો તેમજ તેની ફિટનેસ માટે ખૂબ જ પ્રિય છે. તાજેતરમાં જ ‘ભાઈજાન’ એ કપિલ શર્માના શોમાં એવો ખુલાસો કર્યો કે બધા ચોંકી ગયા. ખરેખર, તેને જોઈને એવું લાગતું નથી કે તે આટલી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હશે. તેમણે શોમાં કહ્યું કે તે હવે પહેલા જેટલા ફિટ નથી. તેના માટે ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે.
સલમાન ખાન 59 વર્ષના છે. તેમ છતાં તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન ટ્રાઈજેમિનલ ન્યુરલજીયા, બ્રેઈન એન્યુરિઝમ અને AV માલફોર્મેશન જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યો છે.
ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા એક ગંભીર ચેતા રોગ છે જેમાં વ્યક્તિને અચાનક ચહેરા પર દુખાવો થવા લાગે છે. જયારે કે AV માલફોર્મેશન રોગમાં રક્ત વાહિનીઓમાં રક્ત પ્રવાહ બંધ થઈ જાય છે અથવા ઓછો થવા લાગે છે.
બ્રેઇન એન્યુરિઝમ રોગ વિશે વિસ્તુતમાં જાણીએ.
બ્રેન એન્યુરિઝમ શું છે?
રક્ત વાહિનીમાં ફૂલેલા ભાગને એન્યુરિઝમ કહેવામાં આવે છે. નસ નબળી પડવાને કારણે આ ભાગ ફુલાઈ જાય છે. ખાસ કરીને ત્યાં જ્યાં નસ બે ભાગમાં વિભાજીત થાય છે. જ્યારે લોહી આ નબળા ભાગમાંથી પસાર થાય છે, ત્યારે લોહીના દબાણને લીધે તે ભાગ બહારની તરફ ફુગ્ગાની જેમ ફુલાઈ જાય છે. એન્યુરિઝમ શરીરની કોઈપણ નસમાં થઈ શકે છે, પરંતુ તે મોટાભાગે બે જગ્યાએ થાય છે:
હૃદયથી શરીરમાં લોહી વહન કરતી ધમની અને મગજમાં. જો એન્યુરિઝમ મગજમાં હોય તો તેને બ્રેઈન એન્યુરિઝમ કહેવામાં આવે છે.
આ રોગના લક્ષણો શું છે
- તેના લક્ષણો લાંબા સમય સુધી દેખાતા નથી, તેથી જ તેને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે.
- અચાનક અને તીવ્ર માથાનો દુખાવો
- આંખો પાછળ દુખાવો અથવા દબાણ અનુભવવું
- ડબલ વિઝન
- ઘણા કિસ્સાઓમાં દ્રષ્ટિ ગુમાવવી
- ગરદનમાં જડતા
- ઉબકા અથવા ઉલટી
- બેભાન થવું
- હુમલો આવવો
આ લોકોને સૌથી વધુ જોખમ
જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો, તો આ રોગનું જોખમ વધી જાય છે. જે લોકો ધૂમ્રપાન કરે છે અને વધુ પડતું દારૂ પીવે છે તેમને પણ જોખમ વધારે હોય છે. જો તમારા પરિવારમાં આ રોગનો ઇતિહાસ હોય, તો શક્ય છે કે આ રોગ તમને પણ અસર કરી શકે. 40 થી 60 વર્ષની વયના લોકો વધુ જોખમમાં હોય છે.
મગજના એન્યુરિઝમના પ્રકારો
મગજના એન્યુરિઝમને મુખ્યત્વે ત્રણ શ્રેણીઓમાં વિભાજિત છે
સેક્યુલર એન્યુરિઝમ
તેને બેરી એન્યુરિઝમ પણ કહેવામાં આવે છે. આ એન્યુરિઝમ વેલા પર લટકતા દ્રાક્ષ જેવો દેખાય છે. તે મુખ્ય ધમની અથવા તેની શાખાઓમાંથી એકમાંથી નીકળતા લોહીથી ભરેલી ગોળાકાર કોથળી છે. તે મોટે ભાગે મગજના પાયા (નીચલી બાજુ) ની ધમનીઓ પર બને છે. બેરી એન્યુરિઝમ એ એન્યુરિઝમનો સૌથી સામાન્ય પ્રકાર છે.
ફ્યુસિફોર્મ એન્યુરિઝમ
આ પ્રકારનો એન્યુરિઝમ ધમનીની આસપાસ ફૂલી જાય છે એટલે કે ધમનીના બધા ભાગોમાં સોજો આવે છે.
માયકોટિક એન્યુરિઝમ
આ એન્યુરિઝમ ચેપને કારણે થાય છે. જ્યારે ચેપ મગજની ધમનીઓને અસર કરે છે, ત્યારે તે તેમની દિવાલને નબળી પાડે છે. જેને કારણે એન્યુરિઝમ થઈ શકે છે.
