ભીંડો વાળથી લઈ હૃદય માટે ફાયદાકારક

ભીંડા વજન ઓછું કરવાથી માંડીને હૃદયને રોગો અને વાળને ફાયદો કરનાર શાક છે. તેમાં ફાઇબર, ફૉલેટ, પાયરીડૉક્સિન, થિયામીન વિટામિન-સી, વિટામીન-એ, તાંબુ, કેલ્શિયમ, પૉટેશિયમ આયર્ન, મેગ્નેશિયમ, જસત, મેંગેનીઝ, અને ફૉસ્ફરસ જેવાં પૌષ્ટિક તત્ત્વો મળી આવે છે. ભીંડામાંથી નીકળતો ચીકણો પદાર્થ અનેક રોગોને ઠીક કરવામાં મદદ કરે છે. તેને ખાવાથી ભૂખમાં પણ વધારો થાય છે. આથી તેને ખૂબ જ પૌષ્ટિક શાક માનવામાં આવે છે. મોટાભાગના લોકોને ખબર જ હશે કે તેનું માત્ર શાક બનાવી શકાતું નથી, પરંતુ સાથે આયુર્વેદ નિષ્ણાતો તેને અનેક રોગોની સારવારમાં પણ ઉપયોગમાં લે છે તો આવો જાણીએ ભીંડાના ૧૦ ફાયદા.આંખ માટે: ભીંડામાં વિટામિન-એ અને બિટા કૅરોટિનથી ભરપૂર માત્રા હોય છે વિટામિન-એ આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેનાથી વધતી ઉંમરની સાથેસાથે આંખોના નુકસાનમાં પણ ઘટાડો થાય છે. તેનાથી આંખનું તેજ વધુ સારું થાય છે. આ ઉપરાંત ભીંડો મોતિયાબિંદ જેવી સમસ્યાઓમાંથી પણ આંખોને બચાવી શકે છે. વજન ઓછું કરવા માટે જે લોકો પોતાના વધતા વજનથી તકલીફમાં હોય તેમના માટે વજનને ઓછું કરવામાં તે ઘણું સહાયક થાય છે કારણકે ભીંડામાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી અને ફાઇબર ઉચ્ચ માત્રામાં હોય છે. તેમાં મળી આવતું ફાઇબર પરિપૂર્ણતા ભોજનનો અને અનુભૂતિ કરાવે છે અને આથી વ્યક્તિ ઓછું ભોજન કરે છે. આથી નિયમિતરૂપે ભીંડાનું શાક ખાવું જોઈએ

હૃદય માટે: ભીંડો કૉલેસ્ટેરૉલની માત્રાને ઓછી કરવામાં સક્ષમ છે કારણકે તેમાં ઓગળી શકે તેવું ફાઇબર હોય છે. તેની મદદથી ઉચ્ચ કૉલેસ્ટેરૉલને કાબૂમાં કરી શકાય છે.

નિમિયા રોગ માટે: એનિમિયા રોગથી પીડિત લોકો માટે ભીંડો ખૂબ જ ફાયદાકારક હોય છે તેમાં ઉપસ્થિત લોહતત્ત્વ આપણાં સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. તે લોહીમાં હિમોગ્લોબીનનું નિર્માણ કરે છે જેનાથી તમે એનિમિયાથી બચી શકો છો.

 પાચન માટે: ભીંડાના સેવનથી પાચન ક્રિયા પણ મજબૂત થાય છે. ભીંડામાં ઉચ્ચ માત્રામાં ફાઇબર મળી આવે છે જે આપણા પાચનતંત્રને સારું કરવામાં સહાયક થાય છે. એ ઉપરાંત તેના સેવનથી પેટનાં આંતરડાંના સોજામાં પણ રાહત મળે છે.

ગર્ભાવસ્થા માટે: ગર્ભાવસ્થા દરમ્યાન ભીંડાનુ સેવન ખૂબ જ લાભદાયી હોય છે. ભીંડામાં હાજર ફૉલેટ ભ્રૂણના મસ્તિષ્ક વિકાસમાં ઘણી મદદ કરે છે. એનામાં હાજર ફૉલિક એસિડની ભરપૂર માત્રા ગર્ભાવસ્થાના ચોથાથી લઈ અને બારમા સપ્તાહ સુધી ભ્રૂણની ન્યૂરલ ટ્યૂબના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે

 ડાયાબિટીસ માટે: ડાયાબિટીસથી પરેશાન લોકોને પણ ભીંડો ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેમાં યુગેનૉલ હાજર હોય છે. ભીંડાથી સર્કરાના સ્તરને પણ નિયંત્રણમાં રાખી શકાય છે.

વાળ માટે: કેટલાક લોકો ભીંડાને માત્ર આરોગ્ય માટે ફાયદારૂપ માને છે પરંતુ ભીંડો વાળ માટે પણ ઘણો લાભદાયક છે તેના સેવનથી વાળ કાળા થાય છે અને તેને આંતરિક શક્તિ મળે છે. એટલે સુધી કે વાળમાં ખોડાની સમસ્યા પણ દૂર થઈ શકે છે. આ માટે તમારે ભીંડાના નાના-નાના ટુકડા કાપવા જોઈએ અને તેમાં અડધું લીંબુ નીચોવવું જોઈએ તેને માથું ધોવામાં ઉપયોગ કરવો જોઈએ તેનાથી તમારા વાળને ઘણો ફાયદો થશે

 મગજ માટે: મગજને વધુ સક્રિય કરવા માટે ભીંડાનુ સેવન ઘણું લાભદાયક સાબિત છે. તેમાં ઉપસ્થિત ફૉલેટ અને વિટામિન બી મગજને સ્વસ્થ રાખવામાં સહાયક થાય છે. આંતરડાં માટે ભીંડાના નિયમિત સેવનથી આંતરડાંમાં હાજર ઝેરી તત્વોને દૂર કરવામાં સહાયતા મળે છે તેનાથી આંતરડાં પહેલાંથી વધુ સારી રીતે કામ કરવા લાગે છે અને તેમની કામ કરવાની ક્ષમતા વધી જાય છે તેનાથી કૉલન કેન્સરનો ખતરો પણ દૂર થઇ જાય છે.