GallerySports ઈંગ્લેન્ડ પર ટીમ ઈન્ડિયાનો T20I શ્રેણીવિજય March 21, 2021 Share WhatsAppFacebookXTelegramEmail વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે 20 માર્ચ, શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી પાંચમી અને સિરીઝ-નિર્ણાયક ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 36-રનથી હરાવીને સિરીઝ 3-2થી જીતી લીધી. ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં કેપ્ટન વિરાટ કોહલીના અણનમ 80, વાઈસ કેપ્ટન રોહિત શર્માના 64 (બંને વચ્ચે 94-રનની ઓપનિંગ ભાગીદારી)ની મદદથી 2 વિકેટે 224 રનનો સ્કોર ખડો કર્યો હતો. તેના જવાબમાં, ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 188 રન જ બનાવી શકી હતી. ફાસ્ટ બોલર ભૂૂવનેશ્વર કુમારને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને કોહલીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરાયો હતો. હવે બંને ટીમ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે 3-મેચોની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી રમશે. આ મેચો 23, 26 અને 28 માર્ચે રમાશે. (તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ, આઈસીસી, વિરાટ કોહલી, ભૂવનેશ્વર કુમાર ટ્વિટર એકાઉન્ટ)