પીએમ મોદીએ શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં બિરાજમાન ‘કનૈયા’ના દર્શન કર્યા

ઓમ શ્રીકૃષ્ણ શરણં મમઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 23 નવેમ્બર, ગુરુવારે મથુરા શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થાન – શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર ખાતે જઈને દર્શન કર્યા હતા, પૂજા કરી હતી અને દેશભરના તેમના તમામ પરિવારજનો માટે સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

મથુરામાં 23-25 નવેમ્બર દરમિયાન વ્રજ રાજ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.