વસંત પંચમીની ઉજવણી

હિન્દુ પંચાગ પ્રમાણે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાદેવી માઁ શારદાની પુજા થાય છે. આ વર્ષે 30 જાન્યુઆરી એટલે કે આજે વસંત પંચમી છે.

વસંત પંચમીએ પ્રકૃતિનો ઉત્સવ છે. આ દિવસે કોઇ પણ કાર્યનો શુભઆરંભ મુહર્ત જોયા વિના કરી શકાય છે. આ પર્વ અજ્ઞાનનો નાશ કરી પ્રકાશ તરફ લઇ જાય છે. સુર્યના ઉતરાયણ થયા બાદ વસંત પંચમી પહેલો ઉત્સવ આવે છે.

હૈદરાબાદની નીલકંઠ વિદ્યાપીઠ આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં વસંત પંચમીની ભાવભરી ઉજવણી થઈ. વિદ્યાર્થીઓએ વિદ્યાની દેવી સરસ્વતીની પરંપરાગત રીતે આરાધના કરી.

વિદ્યાર્થીઓએ શિક્ષાપત્રીના શ્લોકોનો પાઠ કરી સરસ્વતીની આરાધના કરી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.