રામમંદિર ભૂમિપૂજનની પૂર્વસંધ્યાએ અયોધ્યાનો રંગબેરંગી શણગાર…

યાત્રાધામ અયોધ્યા નગરમાં ભગવાન શ્રીરામના જન્મસ્થળે બાંધવામાં આવનાર રામજન્મભૂમિ મંદિરનું 5 ઓગસ્ટ, બુધવારે ભૂમિપૂજન થશે. એની પૂર્વસંધ્યાએ, 4 ઓગસ્ટ, મંગળવારે પવિત્ર અયોધ્યા નગરીનો રંગબેરંગી શણગાર સજવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બુધવારે બપોરે 12.15 વાગ્યે મંદિરનું ભૂમિપૂજન વિધિ સંપન્ન કરવામાં આવશે.