ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન

     

                                                                        ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન

 

એરંડો પ્રમાણમાં પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે પણ ઉછરતો હોય છે. એટલે ગામમાં બીજું કાંઈ ઝાડના ઉછર્યું હોય અને એરંડાના એક-બે છોડ ઉગીને ફૂલ્યા-ફાલ્યા હોય તો જાણે મોટો ઘેઘૂર વડલો હોય એટલી અગત્યતા એમને મળતી હોય છે. આ સંદર્ભમાં જ્યાં બહુ જ ઝાઝા બુદ્ધિશાળી માણસો ના હોય ત્યાં એકાદો સામાન્ય બુદ્ધિ ધરાવતો માણસ અગત્યતા મેળવી લે છે. કંઈક આવા જ ભાવવાળી કહેવત “સો અંધો મેં કાના રાજ” છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)