આધ્યાત્મિકતા શું છે?

સદગુરુ: આધ્યાત્મિકતાનો અર્થ એક ખાસ અભ્યાસ નથી. તે એક ચોક્કસ રીતે હોય છે. ત્યાં પહોંચવા માટે ઘણી વસ્તુઓ કરવાની હોય છે. આ તમારા ઘરમાં બગીચો ઉગડવા જેવું છે. જો છોડનું બીજ, માટી અને સૂર્યપ્રકાશ એક યોગ્ય રીતે નથી, તો છોડ ફૂલ નહીં ખીલવે. તમારે તે વસ્તુઓની પહેલા કાળજી રાખવી પડશે. એ જ પ્રમાણે જો તમે તમારું શરીર, મન, ભાવનાઓ અને ઊર્જાઓ એક ચોક્કસ સ્તરની પરિપક્વતા સુધી વિકસિત કરો છો, તો બીજું કઈ તમારામાં ખીલી ઉઠશે.

લોકો કહે છે કે તેઓ જ્યારે મહાસાગર કે પર્વતો પર જાય છે, ત્યારે તેમને આધ્યાત્મિક અનુભવો થાય છે. મહાસાગરો અને પર્વતો સુંદર હોઈ શકે છે – તમારે વિશ્વને તે જેમ છે તેમ માણવું જોઈએ – પણ તમારે સમજવું જોઈએ કે મહાસાગરમાંની એક માછલી એમ વિચારતી નથી કે તે એક આધ્યાત્મિક અનુભવ કરી રહી છે કેમ કે તે બધો જ સમય ત્યાં છે.

તે ક્ષણોમાં જે અનુભવ થયો તેનું કારણ મૂળભૂત રીતે તમારમાની કોઈ મર્યાદા તૂટી હશે. તમે એક કવચમાં હતા. આ તૂટ્યું અને એક મોટું કવચ બન્યું. એકવાર તમે આ મોટા કવચ સાથે ટેવાઇ જાવ છો, તો તે પાછલા કવચ સમાન અનુભવ કરે છે. કેટલું મોટું કવચ તમને સંપૂર્ણ સંતોષ આપવા માટે પૂરતું રહેશે? કેટલું વિસ્તરણ તમને સંતોષ આપશે? જો તમને આ ગ્રહના રાજા કે રાણી બનાવવામાં આવે છે તો પણ તમે તારાઓ તરફ જોશો કેમ કે તમારામાં કોઈ વસ્તુ એવી છે જેને કોઈ પણ સરહદો પસંદ નથી. દરેક માનવી અમર્યાદિત થવા ઈચ્છે છે. જો તમે તેને જે કઈ જોઈએ છે તે આપો છો, તો તે ત્રણ દિવસ સુધી ઠીક રહેશે. ચોથા દિવસે તે કોઈ બીજી વસ્તુને શોધવા લાગી જાય છે. કોઈ વ્યક્તિ આને લાલચ તરીકે નામ આપી શકે છે. હું આને જીવનની પ્રક્રિયા ખોટી દિશામાં હોવાનું કહું છું.

જો તમે અમર્યાદિત બનવા ઇચ્છતા હોવ અને તમે તેને ભૌતિકતાથી પામવાની કોશિશ કરી રહ્યા છો, તો તમે અમર્યાદિત બનવા માટે ટુકડા-ટુકડામાં પ્રયત્ન કરી રહ્યા છો. શું તમે 1, 2, 3, 4, 5 એમ ગણતરી કરી એક દિવસ અનંતની ગણતરી કરી શકશો? તમે ફક્ત અંત હિન ગણતરીઓ કરતાં રહેશો. તે રસ્તો નથી. જો તમારે અમર્યાદિત પ્રકૃતિ જાણવી હોય તો, તમારે ભૌતિકતાથી પરે કોઈ વસ્તુ જાણવી જોઈએ – કોઈ વસ્તુ જેને તમે સ્પર્શ કર્યો હોય જ્યારે તમે મહાસાગરમાં કૂદકો માર્યો અથવા એક પર્વતને જોયો અથવા એક ગીત ગાયું. તમે તેને ઘણી બધી રીતે સ્પર્શી હોઈ શકે. પણ હવે પ્રશ્ન ટકાઉપણાનો છે.

ત્યાં ઘણી સરળ, વ્યક્તિગત ટેક્નોલોજીઓ છે – એક સરળ અભ્યાસ – જેમાં દિવસની 21 મિનિટોનું રોકાણ કરવાથી તમે તમારો દિવસ તમારી અંદર એક ખૂબ જ અસાધારણ આધ્યાત્મિક અનુભવથી શરૂ કરી શકો છો, જે તમને આખો દિવસ શાંતિમય અને આનંદિત રાખશે. તેના સિવાય એક સામાન્ય વસ્તુ દરેક માણસે જે કરવાની રહે છે તે છે તેની સંપૂર્ણ ભાગીદારી. જો તમે એક વ્યક્તિ, એક વૃક્ષ અથવા એક વાદળને જુઓ છો, તો તમે તમારા શરીર અને શ્વાસની માફક તે બધાને એક સરખી ભાગીદારીથી જુઓ છો. જો તમે કયું સારું તેનો ભેદ ના રાખો અને તમે જીવનના દરેક પાસાં પ્રત્યે સરખી ભાગીદારી દાખવો છો, તો તમે સતત આધ્યાત્મિક રહેશો.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.