મુંબઈ: જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ફિલ્મ લઈને આવી રહ્યાં છે. બંને બીજી વખત ફિલ્મમાં એક સાથે જોવા મળશે,આથી ફેન્સ આ જોડીને પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં જ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ફિલ્મનું એક નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે, જેને જોઈને ચાહકોને સુપરહિટ પડદાની જોડી શાહરૂખ અને કાજોલની યાદ આવી ગઈ છે. ગીત રિલીઝના ઈવેન્ટમાં રાજકુમાર રાવ, જાન્હવી કપૂર, ડિરેક્ટર શરન શર્મા હાજર રહ્યાં હતાં.

ખરેખર, ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું જે પહેલું ગીત રિલીઝ થયું છે તેનું નામ ‘દેખા તેનુ’ છે, જેમાં ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના લગ્ન સુધીની લવસ્ટોરીની ઝલક જોવા મળશે.ગીતમાં જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની કેમેસ્ટ્રી અદભૂત લાગી રહી છે. તેથી જ આ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું.

આ ગીત સાંભળીને કેટલાક લોકોને શાહરૂખ-કાજોલ પણ યાદ આવી જાય છે. કારણ કે ‘દેખા તેનુ’ ગીત પહેલીવાર ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં સાંભળવામાં આવ્યું હતું, જેમાં શાહરૂખ-કાજોલ જોવા મળ્યા હતા.

આ ગીતમાં બંને વચ્ચે અદભૂત રોમાન્સ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં જ્યારે આ ગીતનું નવું વર્ઝન આવ્યું ત્યારે ફરી એકવાર ચાહકો જૂની યાદોમાં ડૂબતા જોવા મળી રહ્યા છે. હાલમાં ચાહકોને ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

‘દેખા તેનુ ગીત’ મોહમ્મદ ફૈઝ અને અલી બ્રધર્સે ગાયું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું નિર્દેશન શરન શર્માએ કર્યુ છે.

તમને જણાવી દઈએ કે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ 31 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મની વાર્તા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને થાલા મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત છે.

કરણ જોહરની આ ફિલ્મમાં જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ ફરી એકવાર મોટા પડદા પર એકસાથે ધૂમ મચાવા તૈયાર છે. આ ફિલ્મ પહેલા જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની જોડી હોરર-કોમેડી ફિલ્મ ‘રૂહી અફઝાન’માં જોવા મળી હતી.
(તમામ તસવીર: માનસ સોમપુુરા)







કમલા બેનીવાલના નિધન પર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માથી લઈને પૂર્વ સીએમ અશોક ગેહલોતે શોક વ્યક્ત કર્યો છે. સીએમ ભજન લાલે કહ્યું, “ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી ડૉ. કમલા બેનીવાલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.”





વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ. 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રણી સહકારી સંસ્થા નાફેડ છે. નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે. જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે બીજી બેઠક માટે ભાજપ તરફી પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજકારણ ગરમાયું હતું. પરંતુ રાજકોટના સાંસદ મોહન કુંડારિયા આ બેઠક પર બિનહરિફ ચૂંટાયા છે.