Home Blog Page 18

બંગલાદેશ બે વિકેટે 26 રનઃ ભારતીય બોલરો પર બધાની નજર

કાનપુરઃ ભારત અને બંગલાદેશની વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ગ્રીનપાર્કમાં રમાઈ રહી છે. કાનપુરમાં વરસાદને કારણે પહેલાં માત્ર 35 ઓવરની જ રમત થઈ શકી હતી. અત્યાર સુધી 235 ઓવરની રમત બરબાદ થઈ ચૂકી છે. બંગલાદેશે ચોથા દિવસની રમતના અંતે બે વિકેટ ગુમાવીને 26 રન બનાવ્યા હતા. હવે પાંચમા દિવસે ભારતીય બોલરો પર બધાની નજર છે.

કાનપુર ટેસ્ટના ચોથા દિવસે બંગલાદેશની ટીમ 233 રન પર આઉટ થઈ હતી. મોમિનૂલ હકે નોટઆઉટ 107 રન બનાવ્યા હતા. નજમૂલ હસન શાંતોએ 31, શાદમાન ઇસ્લામે 24 અને મેહદી હસને 20 રન બનાવ્યા હતા. ભારત વતી જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી. આકાશદીપ, મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિનને 2-2 વિકેટ મળી હતી. જાડેજાએ એક વિકેટ લીધી હતી.

ત્યાર બાદ ભારતે નવ વિકેટે 285 રન બનાવ્યા હતા અને દાવ ડિકલેર કર્યો હતો. જેમાં યશસ્વી જયસ્વાલે 72, કોહલીએ 47, KL  રાહુલે 68 અને શુભમન ગિલે 39 રન બનાવ્યા હતા. બંગલાદેશના મેંહદી હસન મિરાઝે અને શાકિબે ચાર-ચાર વિકેટ લીધી હતી. એ પછી બંગલાદેશે દિવસને અંતે બે વિકેટે 26 રન બનાવ્યા હતા. આર. અશ્વિને બે વિકેટ લીધી હતી.

ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઇતિહાસ રચી દીધો હતો. ભારતની ઓપનિંગ જોડીએ એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જે 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આજ સુધી કોઈ કરી શક્યું નથી. ભારતની ઓપનિંગ જોડીએ માત્ર ત્રણ ઓવરમાં 50 રન પૂરા કરી લીધા હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી બાદ ભારતે સદી પણ ઝડપી ફટકારી હતી.

 

મિથુન ચક્રવર્તી: ગરીબી, સંઘર્ષ અને રંગ ભેદભાવ…બધા સાથે લડી બન્યા હીરો

મુંબઈ: મિથુન ચક્રવર્તીને આ વર્ષે ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ એનાયત કરવામાં આવી રહ્યો છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે અભિનયની દુનિયામાં પોતાનું નસીબ અજમાવવા માટે તેને લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. મિથુને પોતાની મુશ્કેલીઓની કહાની ઘણી વખત કહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાએ એકવાર કહ્યું હતું કે,’મેં મારા જીવનમાં જે સહન કર્યું છે, હું નથી ઈચ્છતો કે અન્ય કોઈ એવું ભોગવે.’ એટલું જ નહીં સંઘર્ષના દિવસોમાં મિથુને મુંબઈની ફૂટપાથ પર રાતો પણ વિતાવી હતી.

Mumbai: Bollywood actor Mithun Chakraborty during a promotional event of the upcoming film ‘Bad Boy’,in Mumbai, on Friday, April 14,2023. (Photo: IANS)

રિપોર્ટ્સ અનુસાર, પોતાના સંઘર્ષ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ‘દરેક વ્યક્તિ સંઘર્ષને જુએ છે અને મુશ્કેલ દિવસોમાં જે સંઘર્ષનો સામનો કરે છે તે લડે છે. તેણે કહ્યું હતું કે જ્યારે તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી ત્યારે શરૂઆતમાં તેને તેની ત્વચાના રંગને કારણે ઘણા ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ટોચની અભિનેત્રીઓ તેની સાથે ફિલ્મો કરવાની ના પાડતી હતી.

લોકોનું ધ્યાન હટાવવા માટે પોતાના અનોખા ડાન્સ મૂવ્સ પર કામ કર્યું

મિથુને તેના રંગ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે તેના અનોખા ડાન્સ મૂવ્સની શોધ કરી. ઝીનત અમાન પહેલી અભિનેત્રી હતા જેણે તેની પ્રશંસા કરી અને તેના દેખાવને અદ્ભુત ગણાવ્યો. ‘રેડિયો નશા’ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે,’મને જોઈને લોકોની અપેક્ષાઓ વધી ગઈ અને તેમને લાગ્યું કે ચૉલમાં રહેવા છતાં મારો દીકરો પણ એક્ટર બની શકે છે. હું હવે સામાન્ય માણસનો હીરો બની ગયો હતો. સામાન્ય માણસમાંથી સુપરસ્ટાર બનવું મારા માટે મોટી વાત હતી.

મિથુન દાએ કહ્યું હતું કે,’મને લાગ્યું કે જો હું મારા પગથી ડાન્સ કરીશ તો મારો રંગ કોઈ જોઈ શકશે નહીં અને એવું જ થયું. મારા ડાન્સથી લોકો મારો રંગ ભૂલી ગયા. મારા જેવા રંગના હીરોની કલ્પના કોઈએ કરી ન હતી. મને ખૂબ જ ખરાબ લાગતું હતું અને હું રડતો હતો.

અભિનેતાએ કહ્યું હતું કે,ઝીનત અમાન એ-ગ્રેડની પ્રથમ કલાકાર હતી જેની સાથે તેણે કામ કર્યું હતું. કોઈ તેમની સાથે કામ કરવા માંગતા ન હતા કારણ કે લોકો તેમને હીરો તરીકે સ્વીકારી શકતા ન હતા. બધાને લાગતું હતું તેમની સાથે કામ કરવાથી તેઓને લોકપ્રિયતા નહીં મળે અને તેથી જ કોઈ તેની સાથે કામ કરવા માંગતા ન હતા. પણ પછી ઝીનત અમાન આવ્યા. તેણીએ કહ્યું, તે બહુ સરસ છે, તે શાનદાર દેખાય છે અને ત્યાર પછી તેમને કોઈ રોકી શક્યું નહીં.

રાષ્ટ્રીય પુરસ્કારથી લઈને પદ્મ ભૂષણ સુધીના સન્માન

મિથુનને વર્ષ 2024માં ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. આ પહેલા તેમને તેમની ડેબ્યૂ ફિલ્મ ‘મૃગ્યા’ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો છે, આ સિવાય વર્ષ 1993માં ‘તાહદર કથા’ માટે બીજો નેશનલ એવોર્ડ અને 1996માં ‘સ્વામી વિવેકાનંદ’ માટે ત્રીજો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ સિવાય તેમને એપ્રિલ 2024માં પદ્મ ભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

મિથુનની ઘણી શાનદાર ફિલ્મો

મિથુનની શાનદાર ફિલ્મોમાં ‘ડિસ્કો ડાન્સર’, ‘પ્યાર ઝુકતા નહીં’, ‘સ્વર્ગ સે સુંદર’, હમ પાંચ’, ‘સાહસ’, ‘વરદાત’, ‘બોક્સર’, ‘પ્યારી બ્રાહ્મણ’, ‘પ્રેમ પ્રતિજ્ઞા’, ‘મુજરિમ’નો સમાવેશ થાય છે. ‘અગ્નિપથ’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે.

TRP ગેમ ઝોનના ચાર આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

રાજકોટ: TRP ગેમ ઝોનમાં એક માનવ સર્જિત હત્યાકાંડ થયો હતો. જેમાં 27 માસૂમ લોકોના જીવ બુઝાય ગયા હતા. આ અતિ ગંભીર ઘટના બાદ પોલિસે ગેમ ઝોનનાં માલિક અને મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર સહિત 15 ની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 4 આરોપીઓનો ચાર્જશીટ બાદની જામીન અરજી મામલે આજે ચુકાદો હતો. જેમાં ગેમઝોનના માલિક અશોકસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાને જામીન મામલે આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. જોકે તેમા ચારેય આરોપીને જામીન ન મળતા હવે હાઇકોર્ટમાં જવું પડશે.

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે 25મી સપ્ટેમ્બરે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 4 આરોપીઓની ચાર્જશીટ બાદની જામીન અરજી મામલે કેસ ચાલ્યો હતો. જેમાં ગેમ ઝોનના માલિક અશોકસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાના વકીલ દ્વારા આરોપીઓનો બચાવ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં કલાકો સુધી સુનાવણી ચાલી હતી. જેમાં સુનાવણી બાદ કોર્ટે આરોપીઓના જમીન ફગાવ્યા હતા. તાજેતરમાં રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ TPO સામે ACBની તપાસ શરૂ થઇ હતી. જેમાં સાગઠીયાએ મંજૂર કરેલા પ્રોજે્ક્ટની વિગતો મંગાવાઇ હતી. તેમાં મોટાગજાના બિલ્ડરો સામે કાર્યવાહી થઇ શકે છે.

PM મોદીએ મિથુનદાને પાઠવ્યા અભિનંદન

મિથુન ચક્રવર્તીને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 8 ઓક્ટોબરે 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. મિથુન ચક્રવર્તી માટે આ એવોર્ડની જાહેરાત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે. વડાપ્રધાન નરેન્દ્રએ પણ અભિનેતાને અભિનંદન પાઠવ્યા છે. તેણે X પર પોસ્ટ શેર કરીને મિથુન ચક્રવર્તીને અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય એવોર્ડની જાહેરાત થતાની સાથે જ મિથુન ચક્રવર્તીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

પીએમ મોદીએ વખાણ કર્યા

પીએમ નરેન્દ્ર મોદીએ પોસ્ટ શેર કરીને લખ્યું, ‘મને ખુશી છે કે મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના અનન્ય યોગદાન માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે એક સાંસ્કૃતિક પ્રતિક છે જેમની પેઢીઓથી તેમના બહુમુખી પ્રદર્શન માટે પ્રશંસા કરવામાં આવી છે. તેમને અભિનંદન અને શુભેચ્છાઓ.

ફૂટપાથ પરથી ઉપર આવેલા છોકરા માટે આટલું મોટું સન્માન

અભિનેતા મિથુન ચક્રવર્તી પણ આ પ્રસંગે ખૂબ જ ભાવુક દેખાતા હતા. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતી વખતે, અભિનેતાએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, ‘ક્યારેય વિચાર્યું નથી, મારી પાસે શબ્દો નથી’. મિથુન ચક્રવર્તીએ કહ્યું, જો હું સાચું કહું તો મારી પાસે કોઈ ભાષા નથી. હું આનંદથી હસી શકતો નથી કે રડી શકતો નથી. આટલી મોટી વાત છે, હું તેને કેવી રીતે સમજાવું? કોલકાતામાં ફૂટપાથ પરથી આવીને અહીં આવેલા છોકરાને આટલું મોટું સન્માન આપવાનું હું વિચારી પણ શકતો નથી.

કોને મળ્યો હતો પહેલો દાદાસાહેબ ફાળકે એવોર્ડ? જુઓ આખી યાદી

મુંબઈ: દાદાસાહેબ ફાળકે એવોર્ડ સિનેમા ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે. તે દર વર્ષે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવે છે. આ પુરસ્કારમાં ગોલ્ડન લોટસ મેડલિયન, એક શાલ અને રૂ. 10,00,000 રોકડ રકમનો સમાવેશ થાય છે. આ વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે આ એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ સૌપ્રથમ 1969માં અભિનેત્રી દેવિકા રાનીને આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે અભિનેત્રી વહીદા રહેમાનને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

અગાઉ પણ ઘણા સ્ટાર્સનું સન્માન કરવામાં આવ્યું

મિથુન ચક્રવર્તીને તેમની સફળ ફિલ્મ સફર અને સિનેમામાં તેમના યોગદાન માટે આ સન્માન આપવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ ઘણા દિગ્ગજોને તેમની શાનદાર સિનેમેટિક સફર માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાં દિલીપ કુમાર, દેવા આનંદ, આશા પારેખ, આશા ભોસલે, લતા મંગેશકર જેવા અનેક દિગ્ગજ લોકોના નામ સામેલ છે.

અત્યાર સુધી દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થયેલા દિગ્ગજોની યાદી

વહીદા રહેમાન: 2021            આશા ભોંસલે: 2000                  સોહરાબ મોદી: 1979
આશા પારેખ: 2020              હૃષિકેશ મુખર્જી: 1999                રાયચંદ બોરલઃ 1978
રજનીકાંત: 2019                 બીઆર ચોપરા: 1998                  નીતિન બોઝ: 1977
અમિતાભ બચ્ચન: 2018         કવિ પ્રદીપ: 1997                       કાનન દેવી: 1976
વિનોદ ખન્ના: 2017               શિવાજી ગણેશન: 1996                ધીરેન્દ્ર નાથ ગાંગુલી: 1975
કાસીનાથુની વિશ્વનાથ: 2016    રાજકુમાર: 1995                        બોમીરેડ્ડી નરસિમ્હા રેડ્ડી: 1974
મનોજ કુમાર: 2015               દિલીપ કુમાર: 1994                    રૂબી માયર્સ: 1973
શશિ કપૂર: 2014                 મજરૂહ સુલતાનપુરી: 1993             પંકજ મલિક: 1972
ગુલઝાર: 2013                    ભૂપેન હજારિકા: 1992                   પૃથ્વીરાજ કપૂર: 1971
પ્રાણ: 2012                       ભાલજી પેંઢારકર: 1991                  બિરેન્દ્રનાથ સરકાર: 1970
સૌમિત્ર ચેટર્જી: બંગાળી 2011   અક્કીનેની નાગેશ્વર રાવ: 1990         દેવિકા રાની: 1969
કે બાલાચંદર: 2010               લતા મંગેશકર: 1989
ડી રામાનાયડુ: 2009              અશોક કુમાર: 1988
વીકે મૂર્તિ: 2008                   રાજ કપૂર: 1987
મન્ના ડે: 2007                      બી નાગી રેડ્ડી: 1986
તપન સિંહા: 2006                 વી શાંતારામ: 1985
શ્યામ બેનેગલ: 2005              સત્યજીત રે: 1984
અદૂર ગોપાલકૃષ્ણન: 2004         દુર્ગા ખોટે: 1983
મૃણાલ સેન: 2003                  એલ.વી. પ્રસાદ: 1982
દેવ આનંદ: 2002                  નૌશાદ: 1981
યશ ચોપરા: 2001                  પૈડી જયરાજઃ 1980

બાળકોના પોષણનું ધ્યાન રાખતી બહેનોના આંદોલનનો અંત શું?

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા કુપોષણ મુક્ત રાજ્ય માટે કેટલીક યોજનાઓ અમલમાં લવવામાં આવી છે. જે અંતર્ગત  આંગણવાડીઓમાં કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ કુપોષણની કામગીરી પર વધુ ભાર મુકી આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલ 2008થી ગુજરાતના તમામ તાલુકા સ્તરે કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્ર પર બાલ સેવા કેન્દ્ર (CMTC/NRC) સેન્ટર કાર્યરત કર્યા છે. જેમાં કુપોષિત બાળક અને સાથે માતાને યોગ્ય સારવાર આપવાની કામગીરી કરવામાં આવે છે. આ સેન્ટરમાં કુક અને વોર્ડ આયા બહેનોની નિમણુક કરવામાં આવી હતી. જેઓ સાત માસથી લઈને પાંચ વર્ષના બાળકોને પોષણ(ફીડિંગ કરાવવાનું) આપવાનું અને જમાવાડું કામ કરીએ છીએ. આ કુક/વોર્ડ આયા બહેનોને શરૂઆતમાં લગભગ 3500 રૂ. આસપાસ વેતન ચૂકવવામાં આવતું હતું. બાદમાં તેમને CMTC/NRCમાંથી અલગ કરી વર્ષ 2017માં સખી મંડળમાં કે રોજમદાર તરીકે કાર્યરત કરવામાં આવ્યા. ત્યારથી લઈને અત્યારે સુધી તેમને માત્ર 7500 રૂ. વેતન તરીકે આપવામાં આવે છે. આથી હવે પગાર વધારા સહિતના અન્ય લાભોની માગ સાથે આ બહેનો ધરણાં પ્રદર્શન યોજી ગાંધીનગર આરોગ્ય વિભાગના અલગ-અલગ અધિકારીઓને અરજી કરી રહી છે.

બીજાના બાળકને પોષણ આપતી આ બહેનો કેટલાક દિવસોથી ગાંધીનગરમાં પોતાની સાથે થતાં શોષણ સામે લડત આપી રહી છે. સરકાર સમક્ષ માગ મુકતી આ બહેનોને એવો જવાબ પણ મળ્યો, કે તમારી શું પોસ્ટ છે? અમારા વિભાગ હેઠળ આપની પોસ્ટ નથી આવતી… તમે આ કચેરી જઈ અરજી કરો… તમારી ફાઈલ મોકલી આપી હવે ફોલો અપ માટે એક અઠવાડિયા પછી આવજો..

આ મુદ્દે ચિત્રલેખા.કોમચંદ્રીકાબેન સાથે વાતચીત કરી. જેઓ મહિસાગર જિલ્લામાં કુક અને વોર્ડ આયા તરીકે કાર્યરત છે. તેમણે પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, “અમે કુક અને વોર્ડ આયા બહેનો સાત માસથી પાંચ વર્ષના બાળકને પોષણ આપવાનું અને જમાવાડું કામ કરીએ છીએ. શરૂઆતમાં NRSM એ અમને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લીધા હતા. જ્યારે 2017માં અમને ત્યાંથી હટાવી રોજમદાર તરીકે રાખવામાં આવ્યા અને ત્યારે અમારો વેતન દિવસ 250 એટલે કે મહિનાના 7500 નક્કી કર્યો હતો. જે બાદ પાછલા આઠ વર્ષમાં અનેક રજૂઆત બાદ અમારા પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના લગભગ તમામ અધિકારીને રજૂઆત કરવા છતાં અમને સંતોષકારક જવાબ મળ્યો નથી. કેટલીક વાર ફોલોઅપ લેવાનું કહી ટાળવામાં આવ્યું, કેટલીક વખત તમારો કેસ અમારા અધિકાર નીચે નથી આવી રહ્યો એવું કહી ટાળવામાં આવ્યું. જેથી હવે અમે અમારી માગ સાથે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છીએ. અમારી માગ એટલી જ છે કે સામાન્ય રોજમદારની જેમ સરકારના ધારાધોરણ હેઠળ અમને પગાર વધારો કરી આપવામાં આવે. કેમ કે, અમે આ પગારમાં ઘર ચલાવી શકતા નથી. જ્યારે અમે 12 કલાકની નોકરી કર્યા બાદ સરકારી રજા વગર કાર્યરત હોવા છતાં પણ અમને પૂરો પગાર વધારો મળી રહ્યો નથી.”

તો બીજી બાજુ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે થયેલી મુલાકાત વિશે વાત કરતા ધર્મિષ્ઠા બેન જણાવે છે, “અમે અત્યાર સુધીમાં તમામ આરોગ્ય ખાતાના અધિકારીને મળી ચૂક્યા છીએ. આ ઉપરાંત તમામને અમારી રજૂઆત પણ કરી છે. જ્યારે અમે ફોલો અપ માટે બીજી મુલાકાત કરીએ છીએ ત્યારે જોઈશું.. કરીશું.. જેવા જવાબ સિવાય કશું મળતું નથી. અમે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ અમારી મુંજવણ વિશે જણાવ્યું હતું. પહેલી મુલાકાત વખતે તેમણે અમારી સાથે વાત કરી અમારી વેદના સમજી ત્યારે એક ફાઈલ તૈયાર કરાવી અને સમસ્યાનું સમાધાન લાવવાનું આશ્વાસન આપ્યું હતું. જ્યારે બીજી અને ત્રીજી મુલાકાત બાદ અમને વારંવાર ન આવવા માટે કહેવામાં આવ્યું. હવે તો સીન એવો છે કે અમારી સમસ્યાઓનું સમાધાન એક સાઈડ પર રહ્યું અમારી રજૂઆત પણ સાંભળવામાં આવતી નથી.”

બાળકોને પોષણ આપતી કુક/ વોર્ડ આયા બહેનોના શોષણ પર વાત કરતા ધર્મિષ્ઠાબેન કહે છે, “જ્યારે અમે સખી મંડળમાં રજૂઆત કરવા પહોંચ્યા, ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યુ કે કુક અને આયા બહેનો વિશે અમને કોઈ જાણ નથી. અમારા સખી મંડળ હેઠળ કુક અને આયા બહેનો આવતા નથી. આ ઉપરાંત IAS અધિકારી સુધી અમારા વિશે કોઈ પણ જાણ નથી.”

ગુજરાતની 700થી વધુ બહેનો, જે પોતાનું ગુજરાન ચલાવવા માટે કુક અને વોર્ડ આયા તરીકે ફરજ બજાવે છે. રાજ્યની આ બહેનો કે જે બીજાના બાળકોને પોષણ આપવાનું કામ કરે છે, તેમની સરકારના ચોપડે કોઈ નોંધ જ નથી? આ બહેનો લગભગ છ દિવસથી ગાંધીનગર બહાર શાંતિપૂર્ણ વાતાવરણમાં આંદોલન કરી રહ્યા છે અને તેમના પ્રશ્નોનું ક્યારે નિરાકણ આવશે તે પણ એક મોટો સવાલ અત્યારે તો ઉભો જ છે.

સપ્તાહના પ્રારંભે સેન્સેક્સ 1270 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 26,000ની નીચે

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ શેરબજારોમાં સાર્વત્રિક વેચવાલી થઈ હતી. નિફ્ટી અને સેન્સેક્સમાં આશરે બે મહિનાનો સૌથી મોટી ઇન્ટ્રા-ડે ઘટાડો થયો હતો. બજારમાં જિયોપોલિટિકલ ટેન્શનને કારણે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5 ટકા તૂટ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.55 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

વિદેશી રોકાણકારોએ સપ્તાહના પ્રારંભે ધૂમ વેચવાલી કરી હતી. રિલાયન્સ, ICICI બેન્ક, HDFC બેન્ક અને એક્સિસ બેન્કને લીધે સેન્સેક્સ 730 પોઇન્ટ તૂટ્યો હતો, જેમાં ઇન્ફોસિસ, M&M ભારતી એરટેલ, SBI અને ITCનો પણ ફાળો હતો. સૌથી વધુ વેચવાલી ઓટો શેરોમાં જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1272 પોઇન્ટ તૂટીને 84,300ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 368 પોઇન્ટ તૂટીને 25,811ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ 233 પોઇન્ટ તૂટીને 60,148ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી બેન્ક 856 પોઇન્ટ તૂટીને 52,978ની સપાટીએ બંધ આવ્યો હતો.

NSE પર કામચલાઉ ડેટા મુજબ FIIએ 27 સપ્ટેમ્બરે રૂ. 1209.10 કરોડના શેરો વેચ્યા હતા, જ્યારે DIIએ રૂ. 6886.65 કરોડની શેરોમાં ખરીદી કરી હતી.

આ સાથે બજારની નજર હવે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ નીતિવિષયક વ્યાજદરો પર ભાષણ આપશે, એના પર નજર છે. આ ઉપરાંત અમેરિકામાં જોબ ઓપનિંગ, ખાનગી ભરતીઓની સંખ્યા એટલે કે રોજગારી ડેટા અને મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીઝ ISM સર્વે પર રહેશે. આ સાથે રોકાણકારોની નજર RBIની દ્વિમાસિક ધિરાણ નીતિ પર રહેશે તેમ જ આવનારા સમયમાં સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો પર રહેશે.

BSE એક્સચેન્જ પર કુલ 4193 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1821 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2218 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 154 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 399 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 293 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

 

મહારાષ્ટ્રમાં ગાય બની રાજમાતા, સરકારનો મોટો નિર્ણય

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે. મહાયુતિ સરકારે આ અંગે જાહેરાત કરી છે. ખરેખર, સરકારે સોમવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો છે. ચૂંટણી પહેલા શિંદે સરકારનો આ મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

સરકારના જણાવ્યા અનુસાર, વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયના સ્થાનને ધ્યાનમાં રાખીને, માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગિતા, આયુર્વેદ ચિકિત્સા, પંચગવ્ય ઉપચાર પદ્ધતિ અને સજીવ ખેતી પ્રણાલીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનું મહત્વનું સ્થાન. , હવેથી દેશી ગાયોને “રાજ્યમાતા ગોમાતા” તરીકે જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે (30 સપ્ટેમ્બર) મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં દેશી ગાયોના ઉછેર માટે દરરોજ 50 રૂપિયાની સબસિડી યોજના લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, કારણ કે ગૌશાળાઓ તેને પોષાય તેમ નથી. તેમની ઓછી આવક તેથી તેમને મજબૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ યોજના મહારાષ્ટ્ર ગૌસેવા આયોગ દ્વારા ઓનલાઈન લાગુ કરવામાં આવશે. દરેક જિલ્લામાં એક જિલ્લા ગૌશાળા ચકાસણી સમિતિ હશે. 2019ની 20મી પશુ ગણતરી મુજબ, દેશી ગાયોની સંખ્યામાં 46,13,632નો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. 19મી વસ્તી ગણતરીની સરખામણીમાં આ સંખ્યામાં 20.69 ટકાનો ઘટાડો થયો છે.

ગાય ખેડૂતો માટે વરદાન
આ અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, દેશી ગાય અમારા ખેડૂતો માટે વરદાન છે, તેથી અમે તેને આ દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. અમે દેશી ગાયના પોષણ અને ઘાસચારામાં મદદ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં ટ્રાફિક મુક્તિ માટે 245 કરોડનો પ્રોજેક્ટ, CMનો મહત્વનો નિર્ણય

અમદાવાદ: ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટેનો મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે મુખ્યમંત્રીએ 245.30 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

માર્ગ અને મકાન વિભાગ હવે આવા સાંકડા પુલ અને સ્ટ્રક્ચર્સને રસ્તાઓની પહોળાઈને અનુરૂપ વાઇડનીંગ કરવાની કામગીરી હાથ ધરશે. રાજ્યમાં કુલ મળીને એવા 41 પુલો કે સ્ટ્રક્ચર્સ છે જેની પહોળાઈ રસ્તાઓની પહોળાઈ કરતા સાંકડી છે. આના પરિણામે આવા પુલો-સ્ટ્રકચર્સ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા ઊભી થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આ વિષય આવતા તેમણે લોકોને ટ્રાફિક જામની સમસ્યા ભોગવવી ન પડે તેમજ ઝડપી અને સલામત યાતાયાત થઈ શકે તે હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ તેના માટે 245.30 કરોડ રૂપિયા સાંકડા પુલો અને સ્ટ્રક્ચર્સના વાઇડનીંગ માટે ફાળવ્યા છે. મુખ્યમંત્રીના આ જન હિતકારી નિર્ણયથી આગામી દિવસોમાં રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કમાં વધુ સુવિધાજનક નેટવર્ક નાગરિકોને ઉપલબ્ધ થશે અને ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થશે.

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, તોડ્યો સચિનનો રેકોર્ડ

કાનપુર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં વિરાટ કોહલીએ 35 રન બનાવતાની સાથે જ એક એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો જેનું અન્ય ખેલાડીઓ સપનામાં પણ વિચારી ન શકે. વિરાટ કોહલીએ કાનપુર ટેસ્ટમાં 35 રનના આંકડા પર પહોંચતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 27 હજાર રન પૂરા કર્યા. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો ચોથો ખેલાડી છે. પરંતુ સૌથી ઝડપી 27 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હવે વિરાટ કોહલીના નામે છે. તેણે સચિન તેંડુલકરને હરાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આટલું જ નહીં, પોન્ટિંગ અને સંગાકારા જેવા મહાન ખેલાડીઓ પણ તેનાથી પાછળ રહ્યા.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27 હજાર રન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27 હજાર રનનો રેકોર્ડ હવે વિરાટના નામે છે. તેણે 594મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સચિન તેંડુલકરે 623 ઇનિંગ્સમાં 27 હજાર રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. જ્યારે આ આંકડા માટે કુમાર સંગાકારાએ 648 અને રિકી પોન્ટિંગે 650 ઈનિંગ્સ રમી હતી. સચિન-સંગકારા અને પોન્ટિંગે સાથે મળીને 234 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે, પરંતુ તેમ છતાં, વિરાટ હવે ઝડપી ગતિએ રન બનાવવાના મામલામાં આ ત્રણ મહાન ખેલાડીઓથી આગળ છે.

વિરાટ કોહલીના આશ્ચર્યજનક આંકડા

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવવાના મામલામાં નંબર 1 ભારતીય છે. તેણે 232 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
વિરાટ કોહલી સૌથી ઝડપી 15 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ક્રિકેટર છે. તેણે 333 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન બનાવનાર ખેલાડી પણ છે. તેણે 417 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. હવે વિરાટ સૌથી ઝડપી 27 હજારના આંકડા પર પહોંચી ગયો છે.