નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સીમાંકન (Delimitation) બિલને ફરીથી સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સરકારનો હેતુ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં તેને અમલમાં મૂકવાનો છે. થોડા સમય પહેલાં મહિલા આરક્ષણ સંબંધિત નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ સરકારે સીમાંકનનો પ્રસ્તાવ સંસદમાં લાવ્યો હતો, પરંતુ તે પસાર થઈ શક્યો નહોતો.હવે સરકાર બિલમાં એવી જોગવાઈ ઉમેરવા તૈયાર છે કે દરેક રાજ્યની લોકસભા બેઠકોમાં 50 ટકા વધારો કરવામાં આવશે. આ પગલાથી દક્ષિણ ભારતીય રાજ્યોનો વિરોધ ઓછો થવાની શક્યતા છે અને ત્યાંના પ્રાદેશિક પક્ષોનું સમર્થન મેળવવાની શક્યતા વધી શકે છે. એ સાથે જ TMCમાં બળવો અને DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટ્યા પછી રાજકીય પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ છે. ગૃહ મંત્રી અમિત શાહે અગાઉના સત્રમાં આ પ્રકારનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ કોંગ્રેસ તે માટે તૈયાર નહોતી.
તમામ પક્ષોનું સમર્થન મેળવવાની તૈયારી
સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે કેન્દ્ર સરકાર આ પ્રક્રિયાને આગળ વધારવા ઉત્સુક છે, પરંતુ તે સાથે જોડાયેલી રાજકીય સંવેદનશીલતાઓને પણ ધ્યાનમાં રાખી રહી છે, તેથી ટકરાવનો માર્ગ અપનાવવાને બદલે એવું માળખું તૈયાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેને તમામ પક્ષોનો ટેકો મળી શકે.
ભારતમાં અત્યાર સુધી ચાર વખત સીમાંકન થયું છે:
- 1952
- 1962
- 1973
- 2002
2002માં થયેલા સીમાંકનને હવે 24 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. તેથી નવી વસ્તી ગણતરીને આધારે લોકસભા બેઠકોમાં વધારો કરવાની તૈયારી ચાલી રહી છે.
TMCમાં બળવો, DMK-કોંગ્રેસ ગઠબંધન સમાપ્ત
એપ્રિલમાં જ્યારે મહિલા આરક્ષણ સંબંધિત બંધારણીય સુધારા બિલ સંસદમાં રજૂ થયું હતું, ત્યારે TMC અને DMKએ તેના વિરોધમાં મત આપ્યો હતો. પરંતુ હવે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ TMCમાં આંતરિક અસંતોષ વધ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ:
- TMCના 58 વિધાનસભ્યો બાગી વલણ અપનાવી ચૂક્યા છે.
- 20થી વધુ સાંસદો પણ અસંતોષ વ્યક્ત કરી શકે છે.
DMK સાંસદોને સાથે લાવવાનો પ્રયાસ
બીજી તરફ, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અને DMKનું ગઠબંધન સમાપ્ત થઈ ગયું છે. ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસે TVKને સમર્થન આપ્યું હતું, જેને DMKએ “પીઠમાં છરો ઘોંપવા” જેવી કાર્યવાહી ગણાવી હતી. હવે કેન્દ્ર સરકાર સીમાંકનના મુદ્દે DMKના સાંસદોને પોતાના પક્ષે લાવવાના પ્રયાસોમાં લાગી હોવાનું કહેવાય છે.




ડ્રીમ સિટી ખાતે ફેલાયેલા આ વિશાળ સંકુલમાં પ્રવેશતા જ કોન્ક્રિટની ભવ્ય ઇમારતો કરતાં વધુ ધ્યાન ખેંચે છે તેની લીલાછમ હરિયાળી. સુરત ડાયમંડ બુર્સના કેમ્પસમાં અંદાજે ૧૦૮૫ જેટલાં મોટા વૃક્ષો અને હજારોની સંખ્યામાં ૧૦૮ પ્રકારના વિવિધ છોડ વાવવામાં આવ્યા છે. આ હરિયાળી માત્ર શોભા માટે નથી, પરંતુ પર્યાવરણના સંતુલન માટેનું એક વિચારીને કરાયેલુ આયોજન છે.
આ સમગ્ર લેન્ડસ્કેપનું આયોજન પંચ તત્વ — પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશની થીમને આધારે કરવામાં આવ્યું છે. કુદરતના આ પાંચ મૂળભૂત તત્વોને ધ્યાનમાં રાખીને વિવિધ ગાર્ડન, ગ્રીન કોર્ટ અને ખુલ્લા વિસ્તારોનું સર્જન કરવામાં આવ્યું છે. પરિણામે અહીં ફરનાર વ્યક્તિને માત્ર એક બિઝનેસ કોમ્પ્લેક્સ નહીં, પરંતુ કુદરતની નજીક હોવાનો અનુભવ થાય છે.
ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ લાલજીભાઈ પટેલ કહે છે, દેશી અને વિદેશી પ્રજાતિના અનેક વૃક્ષો આ સંકુલને એક અનોખી ઓળખ આપે છે. કેટલાક વૃક્ષો તેમની વિશાળ છાયા માટે જાણીતા છે, તો કેટલાક હવાની શુદ્ધતા વધારવામાં મદદરૂપ બને છે. ઘણા છોડ અને વૃક્ષો એવા છે, જે ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરત જેવા ઉષ્ણ અને ભેજવાળા શહેરમાં આ હરિયાળી કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે કુદરતી ઠંડકનું કામ કરે છે.
વૃક્ષોના મજબૂત મૂળ જમીનને બાંધી રાખે છે, જેના કારણે જમીનનું ધોવાણ ઓછું થાય છે. વરસાદી પાણીના યોગ્ય સંચય અને જળચક્રને જાળવવામાં પણ વૃક્ષો મહત્વપૂર્ણ ફાળો આપે છે. તેઓ જમીનમાંથી પાણી શોષી વાતાવરણમાં છોડે છે, જે વાદળોની રચના અને વરસાદની પ્રક્રિયામાં સહાયક બને છે.
સાચા અર્થમાં કહીએ તો સુરત ડાયમંડ બુર્સ માત્ર વેપારનું કેન્દ્ર નથી. તે એક એવો જીવંત સંદેશ છે કે જો ઇચ્છા હોય તો કોન્ક્રિટના જંગલ વચ્ચે પણ હરિયાળીની એક સુંદર દુનિયા સર્જી શકાય છે.





કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના ઇતિહાસને યાદ કરતા જણાવ્યું કે પ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપમાં માત્ર ૧૩ દેશોએ ભાગ લીધો હતો, જ્યારે પ્રથમ વિશ્વ યોગાસન સ્પર્ધામાં જ ૭૮ દેશોની હાજરી ભારતની આ પરંપરા પ્રત્યે વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે. તેમણે દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્ષ ૨૦૩૦માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં યોગાસનને એક સ્વદેશી રમત તરીકે સામેલ કરવામાં આવશે.

વિશે ફેલાયેલી અફવા પણ તેના ચરિત્ર પર સવાલ ઊભા કરી શકે છે. 
બહારના લોકો તેને જોઈ શકતાં. કારણ કે રૂઢિચુસ્ત મર્યાદાઓ પાછળ પરિવારની સુરક્ષાનું એક આવરણ પણ રહેલું હતું. વિચારો સાથે સમય બદલાતો રહ્યો, પરંતુ શૃંગારરસ અને દુલ્હનનો સંબંધ હંમેશા અવિચળ રહ્યો.





