તાજેતરમાં ગાયક ઉદિત નારાયણ એક વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતાં. તેમણે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપતી વખતે એક મહિલાને કિસ કરી અને વિવાદ છેડાયો હતો. એક મહિલા ચાહક સેલ્ફી માટે ઉદિત નારાયણ પાસે આવી અને ગાયકના ગાલ પર ચુંબન કર્યું. આના જવાબમાં ઉદિત નારાયણે તેના હોઠ પર ચુંબન કર્યું હતું. હવે ગાયક મીકા સિંહે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ઉદિત નારાયણના ચુંબન મુદ્દા પર સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો હતો. આ કૃત્ય માટે ઘણા લોકોએ ગાયકની ટીકા કરી. ઘણા વર્ષો પહેલા ગાયક મીકા સિંહે રાખી સાવંતના જન્મદિવસ પર તેની સંમતિ વિના તેને કિસ કરી હતી. આ અંગે પણ ઘણો હોબાળો થયો હતો. આ સાથે જોડાઈને મિકાએ ઉદિત નારાયણ પર એક નિવેદન આપ્યું છે.
મીકા સિંહને વિવાદોનો રાજા કહેવામાં આવે છે. મીકા સિંહે આ ટેગ વિશે વાત કરી અને તેમણે ઉદિત નારાયણ વિવાદ પર પણ વાત કરી. પિંકવિલા સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘એક મોટા માણસ સાથે વિવાદ છે. એટલા માટે જ્યારે લોકો મને વિવાદોનો રાજા કહે છે ત્યારે મને તે ગમે છે. અમિતાભ બચ્ચનને જ જુઓ. લોકો તેમના વિશે કંઈક જાણવા માટે રાહ જુએ છે. શાહરૂખ ખાન સાહેબને જુઓ. સલમાન ખાનને જુઓ. આમિર ખાન. ગાયકોમાં હું એકલો છું.’
મીકા સિંહે આગળ કહ્યું કે ‘ગાયકોમાં એક મીકા સિંહ પણ છે. ઝુમ્મા ચુમ્મા, મારો એક વિદ્યાર્થી આવ્યો. ઉદિત નારાયણ સાહેબ. ક્યાંક તેમના નામે મારો જૂનો વિવાદ હશે. ત્યારે હું ફક્ત બાળક હતો. તો દરેક વ્યક્તિ મીકા સિંહ બનવા માંગે છે. તેમણે એ જ ફાર્મહાઉસ બનાવવું છે જે હું બનાવું છું. જો હું તળાવ સાથે બનાવીશ, તો આ લોકોએ પણ તળાવ સાથે બનાવશે. તેઓ ઘોડા ખરીદવા છે, કૂતરા રાખવા માંગે છે. જો હું આજે મોટી કાર ખરીદીશ, તો તેમણે પણ એક ખરીદવી છે.’
આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ઉદિત નારાયણે તેમના એક ચાહકના હોઠ પર ચુંબન કર્યું. ચાહક તેની સાથે સેલ્ફી લેવા માંગતી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ અભદ્ર વર્તન માટે ઉદિત નારાયણની ટીકા થઈ હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ગીતકાર ‘ટિપ ટિપ બરસા પાની’ પર પરફોર્મ કરી રહ્યા હતા. જોકે, તમને જણાવી દઈએ કે મીકા સિંહે પણ પોતાના જન્મદિવસની પાર્ટીમાં પરવાનગી વગર અભિનેત્રી રાખી સાવંતને કિસ કરી હતી, જે એક મોટો વિવાદ બની ગયો હતો.
આ મામલે ઉદિત નારાયણે કહ્યું હતું કે તેમને પોતાના કૃત્યનો કોઈ પસ્તાવો નથી. તેમના મતે, આ તેમના અને તેમના ચાહક વચ્ચેનો પ્રેમ છે.





આ કાર્યક્રમમાં બરવાનીના મહામહિમ મહારાજા માનવેન્દ્ર સિંહજી, બરવાનીના યુવરાજ સિદ્ધરાજ સિંહજી, સહિતના મહાનુભાવો અને વિન્ટેજ ઓટોમોબાઈલની દુનિયાના જાણીતા જજ અને મહેમાનો ઉપસ્થિત રહેશે. શો વિશે વાત કરતા, GVCCC ના સ્થાપક અને પ્રમુખ સુબોધ નાથે જણાવ્યું હતું કે, “હેરિટેજ કાર શો એ વિન્ટેજ ઓટોમોબાઈલની ટાઇમલેસ બ્યુટી અને અદભૂત એન્જિનિયરિંગની ઉજવણી છે. અમે પાંચ વર્ષ પછી ફરી આ શો લઇને આવી રહ્યાં છીએ જેને લઇને અમે ઉત્સાહિત છીએ. આપણે ઇલેક્ટ્રિક કાર અને શેર મોબીલીટીના યુગમાં જીવી રહ્યા છીએ પરંતુ આ વિન્ટેજ સુંદરતાએ આધુનિક પરિવહનનો પાયો નાખ્યો છે. આ કાર શો ફક્ત વિન્ટેજ વાહનોનું પ્રદર્શન જ નથી કરવાનો, પરંતુ તે અંગે જાળવામાં પણ મદદ કરવાનો પ્રયાસ કરશે. અમે અમદાવાદના લોકોને આ ભવ્ય કાર્યક્રમનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ.”





સ્થાનિક પોલીસ સુપ્રિટેન્ડન્ટ ગોપીનાથ સોનીએ જણાવ્યું ગતું કે સવારે 5 વાગ્યા યાત્રાળુઓની કાર ટ્રક સાથે ટકરાઈ હતી. કાર ઓવરટેક કરવા જઈ રહી હતી ત્યારે ટ્રક સાથે ટકરાઈ હતી.
મૂળ સુરતના વતની મૃતકોની ઓળખ જગદીશભાઈ, વિપિનભાઈ અને કૈલાશબેન તરીકે થઈ છે. તમામની વય 45થી 50 વર્ષ વચ્ચેની છે. અન્ય ઈજાગ્રસ્ત યાત્રાળુ ભાવનાબેન અને મિનિ નામની છોકરીને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
CMSAના એક નિવેદન અનુસાર, બંને રાષ્ટ્રો પાકિસ્તાની અવકાશયાત્રીઓની પસંદગી અને તાલીમ માટે સહયોગ કરશે અને પસંદ કરાયેલ ઉમેદવાર આગામી વર્ષોમાં ટૂંકા ગાળાના મિશન માટે ચીની તાઈકોનોટ્સમાં જોડાશે તેવી અપેક્ષા છે.
ચીને અગાઉ પણ પાકિસ્તાન માટે ઉપગ્રહ લૉન્ચ કર્યા હતા. તિયાંગોંગ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એકમેકના હરીફ તરીકે જોવામાં આવે છે. ચીન 2030 સુધીમાં ચંદ્ર પર માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જ્યારે અમેરિકા આ વર્ષે જ ચંદ્ર પર ઉતરવાની યોજના ધરાવે છે.