હવે રામ ગોપાલ વર્મા દીપિકા પાદુકોણ અને દિગ્દર્શક સંદીપ વાંગા વચ્ચેના વિવાદમાં કૂદી પડ્યા

રામ ગોપાલ વર્મા ઘણીવાર પોતાના નિવેદનોને કારણે સમાચારમાં રહે છે. તાજેતરમાં જ રામ ગોપાલ વર્માએ દીપિકા પાદુકોણ અને દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા વચ્ચેના વિવાદ પર કંઈક અલગ જ વાત કહી છે. જાણો દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ શું કહ્યું છે?

તાજેતરમાં, હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીત દરમિયાન રામ ગોપાલ વર્માએ કહ્યું,’હું કહી શકું છું કે હું 23 કલાક કામ કરવા માંગુ છું. એમ એક્ટર્સ કહી શકે છે કે તે ફક્ત એક કલાક કામ કરવા માંગે છે. આ તેનો નિર્ણય છે. પરંતુ એક વ્યક્તિ બીજા વ્યક્તિને કંઈક કરવા માટે કેવી રીતે દબાણ કરી શકે છે? અને તેઓ એકબીજા સાથે કામ કરવા કે ના કરવા અંગે સંમત થઈ શકે છે. પરંતુ આ વાતને પાછળથી મોટી બનાવીને કહેવામાં આવી છે.’ રામ ગોપાલ વર્માએ સંદીપ રેડ્ડી વાંગા અને દીપિકા પાદુકોણ વચ્ચેના વિવાદ અંગે આ નિવેદન આપ્યું છે.

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માં કામ કરતી વખતે દીપિકા પાદુકોણે માંગ કરી હતી કે તેણી ફક્ત 6 થી 8 કલાકનું શૂટિંગ કરે. તેનું કારણ એ હતું કે તે તેની પુત્રી દુઆને સમય આપવા માંગતી હતી અને આખો સમય શૂટિંગમાં રહેવા માંગતી ન હતી. આ પછી તેણીને ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બદલીને તૃપ્તિ ડિમરીને લેવામાં આવી. સંદીપ રેડ્ડીએ બાદમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી જેમાં તેણે દીપિકા વિશે ખરાબ વાતો પણ કહી. આ પછી જ વિવાદ શરૂ થયો અને ઘણા લોકોએ દીપિકા પાદુકોણને ટેકો આપ્યો.

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણ એટલીના નિર્દેશનમાં ‘AA22xA6’ ફિલ્મ કરી રહી છે. તેમાં અલ્લુ અર્જુન મુખ્ય હીરોની ભૂમિકા ભજવી રહ્યો છે. દીપિકા પાદુકોણ પણ આ દિવસોમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.