રજનીકાંત હજી પણ હોસ્પિટલમાં દાખલ, આ દિવસે મળશે ડિચાર્જ

મુંબઈ: સિનેમા જગતના સુપરસ્ટાર રજનીકાંત 30 સપ્ટેમ્બરથી હોસ્પિટલમાં દાખલ છે. રજનીકાંત, જેમને છાતીમાં દુખાવા બાદ ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અને હવે તેમની હાલત સ્થિર છે. ગુરુવારે માહિતી આપતા હોસ્પિટલે કહ્યું કે રજનીકાંતને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. અપોલો હોસ્પિટલ, ચેન્નાઈમાંથી મળેલી માહિતી અનુસાર રજનીકાંતના હૃદય સાથે જોડાયેલી એક રક્તવાહિની (નસ)માં સોજો આવી ગયો હતો. જેના કારણે દુખાવાની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદને દૂર કરવા માટે ડૉક્ટરોએ તેની સારવાર બિન-સર્જિકલ પ્રક્રિયાઓ દ્વારા કરી છે. હવે રજનીકાંતની હાલત સ્થિર છે અને શુક્રવારે તેમને રજા આપવામાં આવશે.

સોજો હવે સંપૂર્ણપણે દૂર થઈ ગયો છે
તમિલ ન્યૂઝ ચેનલ ‘થાંથી ટીવી’ના અહેવાલ અનુસાર, હોસ્પિટલે તેના નિવેદનમાં કહ્યું,’વરિષ્ઠ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ સાઈ સતીશ રજનીકાંતની સારવાર કરી રહ્યા છે અને મહાધમનીમાં સ્ટેન્ટ મૂકીને આ ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ પછી, સોજો સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. તેમના શુભેચ્છકો અને ચાહકોને જણાવવા માંગીએ છીએ કે તે પ્રોસીજર સફળ રહી છે અને રજનીકાંતની હાલત સ્થિર છે. તે આગામી બે દિવસમાં ઘરે પરત ફરી શકે છે. અગાઉ હોસ્પિટલે કહ્યું હતું કે તેને ગુરુવારે રજા આપવામાં આવશે.

પીએમ મોદી સહિત અનેક રાજનેતાઓએ સ્વાસ્થ્યની કામના કરી
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુપરસ્ટારની પત્ની લતા રજનીકાંતને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછ્યું અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી. તમિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિ અને રાજ્યના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રજનીકાંતના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. રજનીકાંતની નવી ફિલ્મ ‘વેટ્ટાઈયાં’ 10 ઓક્ટોબરે રિલીઝ થશે. ટી.જે. જ્ઞાનવેલ દ્વારા દિગ્દર્શિત ‘વેટ્ટાયન’થી અમિતાભ બચ્ચન તમિલ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. બિગ બી અને મલયાલમ અભિનેત્રી મંજુ વૉરિયર ઉપરાંત, આ ફિલ્મમાં ફહાદ ફાસિલ, રાણા દગ્ગુબાતી, રિતિકા સિંહ, તુશારા વિજયન અને અભિરામી પણ છે. આ ફિલ્મમાં રજનીકાંત અને અમિતાભ બચ્ચન 33 વર્ષ પછી પડદા પર સાથે જોવા મળવાના છે. આ પહેલા બંને સ્ટાર્સે 9991માં આવેલી ફિલ્મ હમમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. જેમાં રજનીકાંત અને અમિતાભ બચ્ચન મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.