નવી દિલ્હીઃ ભારતીય સૈન્ય અભિયાન ‘ઓપરેશન સિંદૂર’ અંગે શુક્રવારે ખાસ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ભારતીય અધિકારીઓએ પાકિસ્તાનની નાપાક કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. આ પત્રકાર પરિષદમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પાકિસ્તાનનાં ષડયંત્રો અને ભારતની જવાબી કાર્યવાહી અંગે માહિતી આપી હતી.
અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી મહત્વની માહિતી:
- પત્રકાર પરિષદના પ્રારંભમાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે 8-9 મેની મધ્યરાત્રિએ પાકિસ્તાની ડ્રોનોએ ભારતીય હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું અને લેહથી સર ક્રીક સુધી આંતરરાષ્ટ્રીય સરહદના 36 સ્થળોએ હુમલાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ આમાંથી ઘણા ડ્રોનને તોડી પાડ્યા હતા.
- તેમણે કહ્યું હતું કે સરહદ અને નિયંત્રણ રેખા (LoC) પર 36 સ્થળોએ 300થી 400 જેટલાં ડ્રોનનો ઉપયોગ ઘૂસણખોરી માટે કર્યો ગયો.
- પ્રારંભિક તપાસમાં જણાયું છે કે આ બધા તુર્કીના ડ્રોન હતા. UAV પણ હતા, જેને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.
- પાકિસ્તાને ભારતના ભઠિંડા એર બેઝ પર પણ હુમલો કર્યો હતો. એના જવાબમાં ભારતે ચાર ડ્રોનનો ઉપયોગ કર્યો હતો અને પાકિસ્તાનના એડી રડારને નષ્ટ કર્યું હતું.
- વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે LoC પર પાકિસ્તાને ભારે ગોળીબાર કર્યો, જેમાં કેટલાક જવાન ઘાયલ થયા.
- પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો હતો અને તે સમયે પોતાનો એર સ્પેસ બંધ કર્યો ન હતો. તેમણે નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગમાં કર્યો હતો.
- ભારતે પંજાબ સેક્ટરમાં હાઈ એર ડિફેન્સ એલર્ટ જાહેર કર્યું હતું. ભારતીય વાયુસેનાએ જવાબ આપતી વખતે સંયમ દાખવ્યો અને આંતરરાષ્ટ્રીય નાગરિક હવાઇ સેવા માટે સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની તરફથી ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે ભારતીય શહેરો, નાગરિકો અને કેટલાક સૈનિક ઠેકાણાઓને નિશાન બનાવ્યાં હતાં. ભારતીય સૈનિક દળોએ તેનો સટિક જવાબ આપ્યો હતો.
- તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન દાવો કરે છે કે તેમણે કોઈ ધાર્મિક સ્થળ પર હુમલો નથી કર્યો. જ્યારે હકીકત એ છે કે તેમણે પુંછમાં ગુરુદ્વારા પર હુમલો કર્યો હતો.
- ગુરુદ્વારા પરના હુમલામાં કેટલાક સીખોનાં મોત થયાં છે.
VIDEO | MEA (@MEAIndia) Press Briefing: Foreign Secretary Vikram Misri (@VikramMisri) says, “… These provocative actions that were taken by Pakistan last night were targeted at Indian cities and civilian infrastructure in addition to some military targets. The Indian Armed… pic.twitter.com/7wNPnKqLA4
— Press Trust of India (@PTI_News) May 9, 2025
વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ ગુરુવારે કહ્યું હતું કે પાકિસ્તાનને 7-8 મેની રાત્રે ડ્રોન અને મિસાઇલની મદદથી ભારતના અનેક સૈનિક ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને જવાબમાં ભારતે લાહોરમાં એર ડિફેન્સ પ્રણાલીનો નાશ કર્યો હતો.
