ઝારખંડમાં 10 ટકા આદિવાસી વસતિ ક્યાં ગાયબ થઈ ગઈ?: નિશિકાંત દુબે

નવી દિલ્હીઃ લોકસભામાં ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ ડો. નિશિકાંત દુબેએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે બંગલાદેશથી ઝારખંડમાં સતત ઘૂસણખોરી થઈ રહી છે, જે આદિવાસી મહિલાઓ બંગલાદેશી ઘૂસણખોરોથી લગ્ન કરી રહી છે, જેનાથી મુસ્લિમ વસતિ ઝડપથી વધી રહી છે. જો મારી વાત ખોટી નીકળે તો હું સંસદમાંથી રાજીનામું આપવા તૈયાર છું, એમ તેમણે કહ્યું હતું.

ભાજપના સાંસદ ડો. નિશિકાંત દુબેએ કહ્યું હતું કે હું સંથાલ પરગણાથી આવું છે. વર્ષ 2000માં આદિવાસીઓની જનસંખ્યા સંથાલ પરગણામાં 36 ટકા હતી અને આજે 26 ટકા રહી ગઈ છે. આવામાં 10 ટકા આદિવાસી ક્યાં ગાયબ થઈ ગયા? એ વિસે સંસક્યારેય પણ સંસદ ચિંતાની વાત કરે છે. એ માત્ર વોટ બેન્કનું રાજકારણ કરે છે. તેમણે કહ્યું હતું કે અહીં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે, તેમ છતાં પગલાં નથી લેવામાં આવતાં.

તેમણે કહ્યું હતું કે બંગલાદેશથી ઝારખંડમાં સતત ઘૂસણખોરી થઈ રહી છે. અહીંની આદિવાસી મહિલાઓ મુસલમાન સાથે લગ્ન કરી લે છે, એ પછી તેઓ આદિવાસી ક્વોટાથી લોકસભા ચૂંટણી લડે છે, જ્યારે તેમના પતિ મુસલમાન છે. અમારે ત્યાંની જિલ્લા પરિષદની જે અધ્યક્ષ છે, તેમના પતિ મુસલમાન છે. ઝારખંડમાં કુલ 100 આદિવાસી વડાં છે, જે આદિવાસીને નામ પર છે અને તેમના બધાના પતિ મુસલમાન છે. તેમણે કહ્યું હતું કે મધુપુર વિધાનસભામાં આશરે 267 બૂથો પર 117 ટકા મુસલમાનોની વસતિ વધી ગઈ છે.