સતત ત્રીજી વખત NSA બન્યા અજીત ડોભાલ, પીકે મિશ્રા PMના મુખ્ય સચિવ

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ અજીત ડોભાલને સતત ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) બનાવવામાં આવ્યા છે. તેઓ ફરી એકવાર એ જ પદ પર રહેશે. દરમિયાન, વડા પ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા આગામી આદેશો સુધી તે જ પદ પર રહેશે.

પીકે મિશ્રાને તેમના કાર્યકાળ દરમિયાન કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવશે. અમિત ખરે અને તરુણ કપૂર પણ આગામી આદેશ સુધી પીએમ મોદીના સલાહકાર તરીકે ચાલુ રહેશે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ફરીથી નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી પીકે મિશ્રાને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિએ આ બંને પદો પર સેવાના વિસ્તરણને મંજૂરી આપી છે. હવે અજીત ડોભાલ આગામી 5 વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદ પર રહેશે. તેમને કેબિનેટ રેન્કના અધિકારીનો દરજ્જો મળ્યો છે, જે પહેલા જેવો જ રહેશે. નવી સરકારની રચના બાદ અજીત ડોભાલ પીએમ નરેન્દ્ર મોદી સાથે તેમના પ્રથમ અસાઇનમેન્ટ પર ઇટાલી જઇ રહ્યા છે. અહીં તેઓ G-7 સમિટમાં ભાગ લેશે.

અજીત ડોભાલ કોણ છે?

પાકિસ્તાનમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાં પર એર સ્ટ્રાઈક અજીત ડોભાલની દેખરેખ હેઠળ જ થઈ હતી. તેઓએ પોતે જ આ અંગે વડાપ્રધાન મોદીને જાણકારી આપી હતી. તેમજ પાકિસ્તાન વિરૂદ્ધ થયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ પણ ભારે ચર્ચામાં આવ્યા હતા. આ ઉપરાંત સપ્ટેમ્બર 2016માં પીઓકેમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં પણ ડોભાલની ભૂમિકા મહત્ત્વની હતી.