નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પ્રસંગે દેશના સરપંચોની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ લગભગ દોઢ કલાક ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું કે કોરોનાવાઈરસે આપણી સમક્ષ ઘણી મુશ્કેલીઓ સર્જી છે. મહામારીએ એ બોધ આપ્યો છે કે દેશને હવે આત્મનિર્ભર બનવું જ પડશે. બે ફુટનું અંતર રાખીને તમે લોકોએ વિશ્વને આ બીમારી સામે લડવાનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાને ઈ-સ્વરાજ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ પણ આજે લોન્ચ કરી હતી. તેમાં પંચાયત સાથે જોડાયેલી તમામ માહિતીઓ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત ગામડાંની મિલ્કતના લેખાજોખા માટે સ્વામિત્વ યોજનાની પણ જાહેરાત કરી છે. આવો, જાણીએ શું છે સ્વામિત્વ યોજના?
પીએમ મોદીએ કહ્યું કે, ગામડાઓમાં સંપત્તિને લઈને ઝઘડા થતા રહે છે એનું સૌથી મોટું કારણ એ હોય છે કે, તેનું કોઈ લખાણ નથી હોતું. હવે આ યોજના હેઠળ ડ્રોન મારફતે દરેક ગામની જમીનની માપણી કરવામાં આવશે ત્યારપછી જમીન માલિકીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ હશે કે પહેલા ગામડાંની જમીન પર બેંકમાંથી લોન મળતી ન હતી પણ હવે જમીનનું પ્રમાણપત્ર ઈશ્યુ થયા બાદ એ સંપત્તિ પર લોન મળી શકશે.
સ્વામિત્વ યોજના
|
આશા છે કે, આ યોજના મારફતે ગ્રામિણ વિસ્તારોના સામાજીક જીવન પર મોટી અસર પડશે. બેંકો પાસેથી લોન લઈને ગામડાંના લોકો પણ પોતાનું કામ શરું કરી શકશે.
ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ
|
