નેહરુ અને પટેલઃ જૂના મુદ્દે નવા પુસ્તકે સર્જયો વિવાદ

અમદાવાદઃ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ હતા, પણ એ વિશે દેશમાં ઘણાં વર્ષોથી ટીકાટિપ્પણી થઈ રહી છે કે જવાહરલાલ નેહરુને જ કેમ વડા પ્રધાન બનાવવામાં આવ્યા? જો સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના વડા પ્રધાન બન્યા હોત તો દેશનો ઇતિહાસ જ કંઈક જુદો હોત. પટેલ સ્વાતંત્ર્ય ભારતના પહેલા ગૃહપ્રધાન હતા. શું નેહરુ અને પટેલ એકમેકની વિરુદ્ધમાં હતા?

વિદેશપ્રધાન એસ. જયશંકરે આજે નારાયણી બસુ દ્વારા લખવામાં આવેલા વીપી મેનનની જીવનકથાના વિમોચન પછી એકસાથે અનેક ટ્વીટ કર્યા હતા. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે વીપી મેનનની જીવનકથા પરથી તેમણે જાણ્યું કે 1947માં જવાહરલાલ નેહરુ સરદાર પટેલને પોતાની કેબિનેટમાં નહોતા લેવા ઇચ્છતા.વિદેશપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે નારાયણી બસુ દ્વારા લખવામાં આવેલી વીપી મેનનની જીવનકથામાં પટેલના મેનન અને નેહરુના મેનનમાં ખાસ્સો વિરોધાભાસ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઘણા લાંબા સમય પછી એક ઐતિહાસિક પુરુષની સાથે ન્યાય થયો.

બીજી બાજુ ભાજપના નેતાઓ દાવો કરી રહ્યા છે કે જો દેશના પહેલા વડા પ્રધાન હોત તો દેશ અલગ જ પથ આગળ હોત.ફેબ્રુઆરી, 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકસભામાં જણાવ્યું હતું કે જો સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પહેલા વડા પ્રધાન હોત તો કાશ્મીર પાકિસ્તાનના અંકુશ હેઠળ ના હોત, પણ ભારતનો જ એક ભાગ હોત. વિદેશપ્રધાને કહ્યું હતું કે એટલે સુધી કે નેહરુ  પટેલને કેબિનેટમાં રાખવા નહોતા ઇચ્છતા, એવું વિદેશપ્રધાને વીપી મેનનનો હવાલો આપીને કહ્યું હતું. તેમણે વીપી મેનનની નવી બુકઃ ધ અનસંગ આર્કિટેક્ચર ઓફ મોર્ડન ઇન્ડિયાને ટાંકતાં જણાવ્યું હતું.

વિદેશપ્રધાને કહ્યું હતું કે તેમણે પુસ્તકથી જાણ્યું કે નેહરુ નહોતા ઇચ્છતા કે પટેલ તેમની કેબિનેટનો હિસ્સો બને અને નેહરુએ પોતાના લિસ્ટમાંથી તેમનું નામ હટાવી દીધું હતું. જોકે લેખકનું આ રહસ્યોદઘાટન એક મોટો વિવાદ વિષય છે.  તેમણે કહ્યું હતું કે રાજકારણનો ઇતિહાસ લખવા માટે પૂરી ઇમાનદારીની જરૂર હોય છે. વિદેશપ્રધાને ટ્વીટ કર્યું હતું કે વીપી મેનનને કહ્યું હતું કે જ્યારે સરદાર પટેલનું મોત થયું ત્યારે તેમની યાદોને ભુલાવવા માટે મોટા પાયે એક કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. હું એટલે જાણું છું, કેમ કે મે આ બધું જોયું છે.