આજે મહાશિવરાત્રીના પવિત્ર સ્નાન સાથે મહાકુંભનું સમાપન

મહાકુંભમાં મહાશિવરાત્રિના દિવસે અંતિમ અને 45મા દિવસે સંતો મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા કરશે. અંતિમ શાહી સ્નાનને લઈ પ્રસાશને પણ પૂર્વ તૈયારી પણ આદરી હતી, આ ઉપરાંત એલર્ટ કોઈ અચ્છીનિય ઘટના ન બને તે માટે એલર્ટ પણ હતા. અગાઉ મૌની અમાસે નાસભાગમાં 30 લોકોના મોત થયા હતા, તેવી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પગલાં ભરવામાં આવ્યા છે. હાલ સ્થિતિ પર નજર રાખવા માટે વિશેષ વોર રૂમ શરૂ કરાયો છે.

અંતિમ શાહી સ્નાન માટે ઉલ્હાસ
અંતિમ દિવસે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજના તમામ શિવ મંદિરોમાં જવાની છૂટ અપાશે. મહાકુંભના પ્રારંભે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 45 કરોડ શ્રદ્ધાળુઓના આગમનની આશા વ્યક્ત કરી હતી, જે 11 ફેબ્રુઆરીએ જ પાર થઇ ગઈ. હાલ આંકડો 65 કરોડને પાર કરી ગયો છે. હરીદ્વાર, ઉજ્જૈન, નાસીકમાં દર ચાર વર્ષે કુંભ મેળો યોજાય છે, જ્યારે પ્રયાગરાજમાં મહાકુંભ દર 12 વર્ષે યોજાય છે. તેથી અંતિમ દિવસે પણ હજારો શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન માટે ઉમટી રહ્યા છે. ત્રિવેણી સંગમ પર સતત સ્નાન ચાલી રહ્યું છે અને ઘાટ પર પગ મુકવાની જગ્યા પણ મળી રહી નથી. યુવાનો, વૃદ્ધો, શહેરી અને ગ્રામીણ શ્રદ્ધાળુઓ આ પવિત્ર ક્ષણનો લાભ લઇ રહ્યા છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે પ્રયાસ
મહાકુંભમાં સફાઇ માટે 15,000 સેનિટેશન વર્કર્સની તૈનાતી કરવામાં આવી હતી. એક જ સ્થળે એકસાથે 15,000 લોકોને સાફસફાઈની જવાબદારી સોંપી એક અનોખો વિક્રમ સ્થાપિત થયો છે, જેની ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ થવાની સંભાવના છે. પરિણામ 27 ફેબ્રુઆરીએ જાહેર થશે. ગિનિસ રેકોર્ડ ટીમના રિશિ નાથે જણાવ્યું કે તમામ વર્કર્સને યુનિક ક્યૂઆર કોડ આપીને તેમની કામગીરીની નોંધ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે દર વર્ષે 1.4 કરોડ લોકો મક્કા-મદિના હજ માટે જાય છે, વેટિકન સિટીમાં 80 લાખ લોકો પહોંચે છે, જ્યારે માત્ર અયોધ્યામાં 52 દિવસમાં 16 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. મહાકુંભમાં ઉમટેલા શ્રદ્ધાળુઓનો આંકડો કરોડોમાં છે, અને અન્ય ધાર્મિક સ્થળોએ પણ લાખો લોકોએ દર્શન કરી અનોખો રેકોર્ડ બનાવ્યો છે.