કોરોનાઃ નકારાત્મક માહોલ સામે એક યોગ નિષ્ણાતની અનોખી પહેલ

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને લોકોમાં અત્યંત ડર અને તણાવનો માહોલ ફેલાઇ ચૂક્યો છે ત્યારે આ સંજોગોમાં હાવ લોકોને સૌથી વધારે જો કોઇ ચીજની જરૂર હોય તો એ છે-માનસિક સ્વસ્થતા. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ જ મજબૂત લડાઇ આપી શકે છે. અને, આ માટે જરૂરી છે હકારાત્મક ઉર્જાની.

વર્તમાન માહોલમાં આ જરૂરિયાત પારખીને મૂળ ગુજરાતી અને હાલ સિંગાપુરમાં વસતા યોગ નિષ્ણાત સુજાતા કોલગીએ પોતાના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક નવી જ પહલે શરૂ કરી છે.

આ પહેલ એટલે યોગાના ફ્રી ઓનલાઇન ક્લાસિસ. એ નિર્વિવાદ છે કે વ્યક્તિને માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરવામાં યોગ અત્યંત ઉપયોગી છે. એનાથી વ્યક્તિમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

24 માર્ચથી 29 માર્ચ સુધી ભારતીય સમય પ્રમાણે સવારના 6.30 થી 7 સુધી સુજાતાબહેન ઓનલાઇન રહીને શ્વાસોશ્વાસની અમુક ટેકનીક અને યોગાસનો શીખવશે. કોઇપણ વ્યક્તિ અહીં આપેલી વેબલિન્કના માધ્યમથી એમાં જોડાઇ શકે છેઃ

 

 

યોગના ક્લાસમાં જોડાવા માટે આ લિન્ક ખોલવાની છે. તેમાં ID પણ આપેલો છે. અને પાસવર્ડ પણ આપેલો છે.

24 માર્ચ, 2020 થી 29 માર્ચ, 2020

ભારતીય સમયઃ  સવારે 6.30 કલાકથી 7 વાગ્યા સુધી.

નીચે આપેલી લિન્કથી તમે એપ પણ ડાઉનલોડ કરી શકો છો.

Please download and import the following iCalendar (.ics) files to your calendar system.

Daily: https://us04web.zoom.us/meeting/tZIrcumsrDosnje7sOEprBG46Qf3facAyQ/ics?icsToken=98tyKuGuqD4qHtaUtl3te7QqA4H-bN_ukX9Er_ROszr1EQJ0NlXHMLFEM7FeCemB

Meeting ID: 866 504 216

Join Zoom Meeting

https://us04web.zoom.us/j/866504216

યોગના ક્લાસ માટેની લિન્ક www.pragyayoga.com

આ ઉપરાંત કોઇ સવાલો અથવા સૂચનો હોય તો તમે એમનો yogawithsujata@gmail.com પર સંપર્ક સાધી શકો છો.

વેલ, તો સારા કર્મો કરો, સ્વસ્થ રહો અને તમારામાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરો.