વિશ્વમાં કોરોના કેસોના મામલે ભારત હવે ચોથા નંબરે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. જેને લીધે હવે ભારત કોરોના દર્દીઓને મામલે વિશ્વમાં ચોથા ક્રમાંકે આવી ગયો છે. કોવિડ-19ને મામલે ભારતે હવે બ્રિટનને પાછળ છોડ્યું છે. ભારત હવે રશિયા, બ્રાઝિલ અને અમેરિકાથી પાછળ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ દેશમાં હવે કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,97,205 લાખને પાર પહોંચી છે, જ્યારે આ વાઇરસ અત્યાર સુધી 8400થી વધુ લોકોનાં મોત થયાં છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1,41,842 છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 1,47,195 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.  

દેશમાં કોરોનાના 2,97,205 કેસો

ભારત 2,93,754 કેસોની સાથે કોરોના પ્રભાવિત 10 ટોચના દેશોમાં ચોથા સ્થાને આવી ગયો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી 8498 લોકોનાં મોત થયાં છે. બ્રિટનમાં 2,91,558 કોરોના સંક્રમિત લોકોની સાથે પાંચમા સ્થાને સરક્યું છે. ભારતથી હવે માત્ર રશિયા બ્રાઝિલ અને અમેરિકા જ આગળ છે. અમેરિકામાં અત્યાર સુધી 20 લાખથી વધુ કોરોના સંક્રમિતના કેસો નોંધાયા છે.

બ્રાઝિલમાં સાડાસાત લાખ અને રશિયામાં 4.93 લાખ કોરોના સંક્રમિત લોકો

બ્રાઝિલમાં 7.50 લાખ અને રશિયામાં 4.93 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 75 લાખને પાર થઈ ચૂકી છે. વૈશ્વિક સ્તરે કુલ 4.20 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સૌથી મોટો વધારો

છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,956 નવા કેસો સામે આવ્યા છે અને 396 લોકોનાં મોત થયાં છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.  દિલ્હીમાં એક દિવસમાં રેકોર્ડ 1877, ઉત્તર પ્રદેશમાં 480, બંગાળમાં 440 અને રાજસ્થાનમાં 238 નવા કેસો નોંધાયા છે.

દેશમાં કોરોના કેસોની સંખ્યા રાજ્યવાર આ મુજબ છે.