કોરોના સંક્રમિતોને મામલે હવે વિશ્વમાં ભારતનું સ્થાન 11મું

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ઝડપથી વધી રહ્યો છે. દેશમાં કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા 85,000ને પાર પહોંચીને 85,940 થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 2752 દર્દીઓનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં 3970 નવા કેસ નોંધાયા છે અને 103 લોકોનાં મોત થયાં છે. આમ ભારત કોરોના સંક્રમિતોને મામલે ચીનથી આગળ નીકળી ગયું છે. કોરોના વાઇરસ સંક્રમિતોને મામલે હવે વિશ્વમાં ભારતનું સ્થાન 11મું છે. જોકે જીવલેણ વાઇરસથી થનારાં મોતોનો દર ચીનની તુલનાએ ભારતમાં ઘણો ઓછો છે. ચીનમાં એ 5.5 ટકા છે, જ્યારે ભારતમાં એ 3.2 ટકા છે. રિકવરી રેટ સુધરીને 34.06 ટકા થયો છે.

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 46 લાખને પાર

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 46 લાખને પાર થઈ છે. 213 દેશોમાં પાછલા 24 કલાકમાં 99,116 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે અને 5050 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.  અત્યાર સુધીમાં આ વાઇરસથી ત્રણ લાખથી વધુ લોકોનં મોત થયાં છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 17,55,000 લોકો સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. વિશ્વના 72 ટકા કોરોનાના કેસો માત્ર 10 દેશોમાં છે.  આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 33 લાખ છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.