કોરોના વાઇરસના ટેસ્ટ માટે IIT દિલ્હીએ કરી આ કમાલ…

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના ટેસ્ટને લઈને કિટ મોટી સંખ્યામાં જરૂર છે અને ચીન જેવા દેશોથી જે કિટ આવી છે, એમાંથી મોટા ભાગની કિટ ખરાબ ગુણવત્તાની છે, ત્યારે હવે આ મુશ્કેલ સમયમાં ભારતીય વૈજ્ઞાનિકોએ એક કમાલ કરી દીધી છે. હા, IIT દિલ્હીએ RT-PCR કિટ બનાવીને તૈયાર કરી છે, જેને ICMRએ પણ તપાસ કરીને લીલી ઝંડી આપી દીધી છે.

IIT-દિલ્હીનામા પ્રોફેસર વી. પેરુમલે કહ્યું હતું કે અમે જાન્યુઆરીના અંતમાં કોવિડ-19ને ટેસ્ટની કિટ પર કામ શરૂ કર્યું હતું અને એ ત્રણ મહિનામાં તૈયાર થઈ ગઈ હતી. જોકે અમે એને સસ્તી કિંમતે વિકસાવવા માગીએ છીએ, જેથી એનો ઉપયોગ મોટી સંખ્યામાં થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે કે એ સ્વેબ પરીક્ષણ કિટ છે.  તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસ માટે હાલ  જે ડિવાઇસ ઉપલબ્ધ છે, એ તમામ ઉપકરણો કરતાં એ સસ્તી હશે. આ નવી વિકસાવાયેલી કિટની કિંમત રૂ. 300 કરતાં પણ ઓછી હશે.

આ કિટથી દેશભરમાં RT-PCR દ્વારા કોરોન વાઇરસનું ટેસ્ટિંગ થશે. આ કિટ ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે. IIT દિલ્હીની બે કંપનીઓથી એના માટે વાતચીત ચાલી રહી છે. આ કિટ બજારમાં આવશે, એ પછી સસ્તા અને યોગ્ય રીતે કોરોનાની તપાસ થઈ શકશે. IIT દિલ્હીની કુસુમા સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સિયના સંશોધકોએ કોવિડ-19ની તપાસ માટે જે કિટ તૈયાર કરી છે, એને ICMRએ પણ મંજૂરી આપી દીધી છે.

IIT દિલ્હી એવી પહેલી શૈક્ષણિક સંસ્થા બની ગઈ છે જેણે RT-PCR આધારિત કિટ માટે ICMRથી મંજૂરી મળી ગઈ છે. દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસોએ સરકારની ચિંતા વધી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ હાલ દેશનાં ત્રણ રાજ્યો કોરોનામુક્ત થઈ ચૂક્યા છે.