શોપિયાં અથડામણમાં ચાર આતંકવાદીઓ ઢેર, મોટા પ્રમાણમાં દારૂગોળો જપ્ત 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ભારતીય સુરક્ષા દળો અને આંતકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે માર્યા ગયેલા આતંકવાદીઓની હજી ઓળખ નથી થઈ શકી, પરંતુ આ બધા અન્સાર ગજવત-ઉલ-હિંદના હોવાની આશંકા છે. સુરક્ષા દળોની સાથે થયેલી અથડામણના સ્થળેથી ભાર માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો છે. આ વિસ્તારમાં વધુ આતંકવાદીની હાજરી હોવાની આશંકાએ સુરક્ષા દળોએ વધુ સર્ચ ઓપરેશનો ચલાવ્યાં હતાં.

 

સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો

ઉત્તર કાશ્મીરના જિલ્લા બારામુલાના સોપોરના મલહૂરા વિસ્તારમાં આ અથડામણ સવારે શરૂ થઈ હતી. સુરક્ષા દળોને સૂચના મળી હતી કે મલહૂરા ગામમાં આતંકવાદીઓ છુપાયા છે. આ સૂચના મળતાં સેનાની 55 રાષ્ટ્રીય રાઇફલ્સ, CRPF તથા SOGની ટીમે ગામનો ઘેરાવ કરીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, આ ઘેરાવ સખત થયેલો જોઈને એક મકાનમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પહેલાં તો સુરક્ષા દળોએ તેમને આત્મ સમપર્ણ કરવા માટે કહ્યું હતું, તેમ છતાં આતંકવાદીઓએ ગોળીબાર ચાલુ રાખતાં સુરક્ષા દળોને જડબાતોડ જવાબ આપ્યો હતો.

ભારે માત્રામાં દારૂગોળો જપ્ત

પ્રારંભિક અથડામણમાં જ સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને મોતનો ઘાટ ઉતાર્યા હતા.સવારે 10 કલાક સુધીમાં સુરક્ષા દળોએ મકાનમાં છુપાયેલા ચાર આતંકવાદીઓને ઢેર કર્યા હતા. આ ઘટનાસ્થળેથી ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યા હતા.

પાછલા એક સપ્તાહથી સોપોરમાં આતંકવાદીઓની કામગીરી ઘણી વધી ગઈ છે. કાશ્મીરમનાં પાછલા 10 દિવસોમાં સુરક્ષા દળો પર આ પાંચમો હુમલો છે. પાછલા ત્રણની વાત કરીએ તો સુરક્ષા દળોએ સોપોરથી પાંચ આતંકવાદીઓને જીવતા પકડ્યા હતા. જ્યારે આ પહેલાં થયેલા આંતકવાદીઓ દ્વારા હુમલાઓમાં CRPFના ત્રણ જવાન શહીદ થયા હતા અને બે ઘાયલ થયા હતા.