EVM મશીનથી છેડછાડ સંભવ નથીઃ SCમાં ECની રજૂઆત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે EVM-VVPAT મામલે ચૂંટણી પંચને કહ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રતા હોવી જોઈએ. પંચને સવાલ કર્યો હતો કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં વિસ્તારથી જણાવો. કોર્ટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)થી નાખવામાં આવેલા મતોની VVPAT સિસ્ટમ દ્વારા નીકળતી પર્ચીઓથી મેળની માગ કરવાવાળી અરજી પર સુનાવણી કરી રહી છે.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું હતું એ એક ચૂંટણી પ્રક્રિયા છે, કોઈ પણ આશંકા ના હોવી જોઈએ કે જે બાબતની અપેક્ષા કરવામાં આવી રહી છે, એ નથી થઈ રહી. ચૂંટણી પંચ તરફથી કોર્ટમાં વકીલ મનિન્દર સિંહ હાજર થયા હતા, જ્યારે અરજીકરત્ તરફથી નિઝામ પાશા ને પ્રશાંત ભૂષણ હાજર થયા હતા.

ચૂંટણી પંચના એક અધિકારીએ જજોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે બટન યુનિટમાં માત્ર એ માહિતી હોય છે કે કેટલા નંબરનું બટન દબાવવામાં આવ્યું. એ માહિતી કન્ટ્રોલ યુનિટને જાય છે. કંન્ટ્રોલ યુનિટથી વીવીપેટને પ્રિન્ટિંગનો કમાન્ડ જાય છે. એના પર જજે સવાલ કર્યો હતો કે તો પછી VVPATને કયા સિમ્બોલથી પ્રકાશિત કરવાનો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે એક બહુ નાનો સિમ્બોલ લોડિંગ યુનિટ હોય છે, જે ટીવી રિમોટના આકારનું હોય છે. એને બહારથી નિયંત્રિત નથી કરવામાં આવતું, કેમ કે એ ઇન્ટરનેટ કે કોઈ પણ બહારના નેટવર્કથી નથી જોડાઈ શકતું. એ યુનિટ કન્ટ્રોલ યુનિટથી મળેલા કમાન્ડની પ્રક્રિયા કરીને VVPATની માહિતી આપે છે.