ઓક્ટોબર પછી કોરોનાના સૌથી વધુ નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 59,118 નવા કેસ સામે આવ્યા છે, જે ઓક્ટોબર પછી કોરોનાના સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 257 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,18,46,652 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,60,949 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,12,64,637  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 32,987 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,21,066 પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.09 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.36 ટકા થયો છે.

 દેશમાં 5.55 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 5,55,04,440 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 23,58,731 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.