કોરોનાના કેસ વધીને 873: 79 નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19 કેસોમાં સતત વધારો થયો છે. દેશમાં કોવિડ-19 કેસો વધીને 873 કેસો થયા છે અને કોરોનાને લીધે મૃતકોની સંખ્યા 19 થઈ છે, એમ કેન્દ્રીય હેલ્થ મંત્રાલયે જણાવ્યું હતું.  છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 79 નવા કેસો નોંધાયા છે, જ્યારે વિશ્વમાં કોરોના વાઇરસને લીધે મોતની સંખ્યા વધીને 27,000 થઈ છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના છ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કુલ કોરોના કેસ વધીને 53 થયા હતા.

કોરોના વાઇરસના કેસમાં સતત વધારો

દેશનાં 27 રાજ્યોમાં કોરોના કેસમાં ખાસ્સો વધારો થયો છે. દેશમાં કોરોના કુલ કેસ વધીને 873 થયા છે, જેમાં જેમાં 47 વિદેશી છે. જોકે 79 લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી લોકોનો કોરોનાના ચેપ પ્રમાણે સતત જાગ્રત કરવામાં આવી રહ્યા છે છતાં લોકો આ રોગને ગંભીરતાથી નથી લેતા અને સરકારના નિયમોનું યોગ્ય રીતે પાલન નથી કરતા.

દેશમાં સંપૂર્ણ લોકડાઉન છતાં લોકોની ઠેર-ઠેર ભીડ

દિલ્હી-ઉત્તર પ્રદેશમાં લોકડાઉનમાં ફસાયેલી લોકો ઘેર જવા ઉતાવળા થયા છે. યોગી સરકારે યુપી પરિવહન નિગમને આદેશ આપ્યો છે. કે 28 અને 29 માર્ચે બસ ચાલશે  જેથી હજ્જારોની સંખ્યામાં લોકો પોતપોતાના ઘેર જવા ઉતાવળા થયા છે.

ગુજરાતમાં છ નવા કેસો સાથે કોરોના કુલ દર્દીઓની સંખ્યા વધીને 53 થઈ

રાજ્યમાં વધુ 6 નવા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 53 પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકોનાં મોત થયાં છે. આરોગ્ય સચિવે આ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે અમદાવાદમાં ત્રણ, વડોદરા, ગાંધીનગર અને મહેસાણા એક-એક નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં પાંચ એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં 18, વડોદરામાં નવ, રાજકોટમાં આઠ, ગાંધીનગરમાં આઠ, સુરતમાં સાત જ્યારે કચ્છ,  ભાવનગર અને મહેસાણામાં એક-એક કેસ નોંધાયા છે.

દેશમાં કોરોના કુલ કેસની યાદી, સવારે 9.30 કલાક સુધી