છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 14.2 ટકાનો વધારો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ફરી એક વાર વધારો નોંધાયો હતો. કોરોનાના કેસોમાં તુલનાએ આજે 14.2 ટકાનો વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 43,263 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 338 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,31,39,981 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,41,749 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,23,04,618 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 40,567 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,93,614એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.48 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

 કેરળમાં 30,196 નવા કેસો

કેરળમાં બુધવારે કોરોનાના 30,196 નવા કેસો નોંધાયા છે, જેથી કોરોના સંક્રમિતોની સંખ્યા 42,83,494 થઈગઈ છે, જ્યારે 181ના મોત પછી મૃતકોની સંખ્યા 22,001એ પહોંચી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 18,17,639 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 52.33 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 71.65 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 71,65,97,428 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 86,51,701 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.