ટેક્સ ચોરી મામલે CM યોગીએ કર્યું નક્કર આયોજન

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ટેક્સ ચોરી અટકાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા અને આવક વધારવા માટે નવા સ્રોત તપાસવાનો નિર્દેશ આપ્યો છે. ટેક્સની કાર્યવાહીની ગુપ્તતાનો ભંગ કરવાવાળા કર્મચારીઓને ઓળખી કાઢવા અને તેમની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાના નિર્દેશ તેમણે આપ્યા છે.

તેમણે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષમાં આવકની પ્રાપ્તિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં નાણાપ્રધાન સુરેશ ખન્ના અને મંત્રી, આબકારી પ્રધાન નીતિન અગ્રવાલ પણ હાજર રહ્યા હતા. તેમણે GST, વેટ, આબકારી સહિત વિવિધ આવકનાં સાધનોની સમીક્ષા કરતા વિભાગના અધિકારીઓને દિશા-નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક સુધી વિવિધ કરસાધનો થકી અત્યાર સુધી રૂ. 92,000 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી, જેમાં GST/ વેટથી રૂ. 52,000 કરોડ, આબકારી ટેક્સ તરીકે રૂ. 20,000 કરોડ સ્ટોપ એન્ડ રજિસ્ટ્રેશનથી રૂ. 13,000 કરોડ અને ટ્રાન્સપોર્ટેશનથી રૂ. 4700 કરેડથી વધુની આવક થઈ હતી.

તેમણે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 2.62 લાખ કરોડની આવકનો લક્ષ્યાંક માટે નક્કર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આવકની ચોરી એ રાષ્ટ્રીય ક્ષતિ છે. GSTની ચોરી સહિત વિવિધ ટેક્સ ચોરી રોકવા માટે સજાગતા વધારવાની જરૂર છે.

તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા સુધીમાં વિવિધ માધ્યમથી અત્યાર સુધી રૂ. 92,000 કરોડથી વધુ થઈ છે. દરેક વિભાગે નોંધપાત્ર આવક કરી છે. આ રકમ પ્રદેશના વિકાસ ને લોકકલ્યાણકારી કાર્યોમાં ખર્ચ થશે. તેમણે ટેક્સ ચોરી અટકાવવા માટે સજાગતા જરૂરી હોવાનું જણાવ્યું હતું.